________________
૨૨. ભવોગાષ્ટક
૨૯૭
થતો કે તે રાધાવેધ સાધી શકતો. ક્યારેક સ્વયંવરમાં કુંવરીના પિતા એટલે કે રાજા એવી શરત રાખતા કે જે રાધાવેધ સાધી શકે તેને જ કન્યા વરશે. અર્જુન આવા રાધાવેધમાં કુશળ હતો.
રાધાવેધમાં એક પાણીનો કે તેલનો કુંડ બનાવવામાં આવે કે જેના સ્થિર પાણી કે તેલમાં સ્પષ્ટ પ્રતિબિમ્બ પડે. કુંડમાં વચ્ચે ઊંચો સ્તંભ હોય. બાણાવળી ત્રાજવા જેવા બે પલ્લામાં એક એક પગ રાખીને સમતોલપણું જાળવીને ઊભા હોય. સ્તંભ ઉપર એક આડી પૂતળી (રાધા) ગોઠવેલી હોય. તે ચક્કર ચક્કર ફરતી હોય. તેનું સ્પષ્ટ પ્રતિબિમ્બ નીચે પડતું હોય. એ પ્રતિબિમ્બમાં નીચે જોવાનું અને એમ જોતાજોતામાં બાણ ઉપર તાકવાનું. બાણ ફરતી પૂતળીની આંખને વીંધી નાખે એ રીતે છોડવાનું. એમાં ગણતરીપૂર્વકની પૂરી એકાગ્રતા હોય તો જ પૂતળીની આંખ વીંધાય. આવી એકાગ્રતા સિદ્ધ કરનારા બાણાવળીઓ પ્રાચીન કાળમાં હતા. તેઓ રાધાવેધ સિદ્ધ કરનાર કહેવાતા. સતત અભ્યાસથી એવી એકાગ્રતા પ્રાપ્ત કરી શકાતી.
ઊંચી કોટિની ચિત્તની એકાગ્રતાનાં અહીં બે દૃષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. આવી એકાગ્રતા સંયમયાત્રા માટે મુનિએ કેળવવાની રહે છે.
મુનિ મહારાજ સંસાર–પરિભ્રમણ અને કર્મોનાં દુઃખોથી ભય પામીને સમિતિ, ગુપ્તિ, ચરણસિત્તરી, કરણસિત્તરીરૂપી ક્રિયાઓમાં એકાગ્ર ચિત્તવાળા થાય છે. કહ્યું છેઃ ___गाइज्जंती सुरसुंदरीहिं वाइज्जंता वि वीणमाईहिं ।
तह वि हु समसत्ता वा चिटुंति मुणी महाभागा ॥ દેવાંગનાઓ ગાતી હોય, વીણા વગેરે વાર્દેિત્રો વગાડતી હોય, તો પણ મહાભાગ્યવાન એવા મુનિ સમચિત્તવાળા રહે છે. [१७५] विषं विषस्य वह्नश्च वह्निद्रव यदौषधम् ।
तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ।।२२।।७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org