________________
૨૯૬
જ્ઞાનસાર
ખબર પડી. એકવાર એ માણસ કંઈક સામાન્ય વાંકમાં આવતાં રાજાએ એને મૃત્યુદંડની સજા ફરમાવી. તે વખતે એ માણસે અને રાજ્યના સભાજનોએ રાજાને વિનંતી કરી કે “મહારાજ ! એનો અપરાધ માફ કરો. એને મૃત્યુ દંડની સજા ન આપો.' તે વખતે રાજાએ કહ્યું, ‘તમારી વિનંતી છે તો ભલે એની સજા માફ કરું છું, પણ એક શરતે. તેલથી છલોછલ ભરેલું એક પાત્ર લઈ તે નગરમાં ચક્કર લગાવીને પાછો મારી પાસે આવે. જો એક પણ ટીપું જો ઢોળાયું હશે તો એને મૃત્યુદંડની સજા થશે.”
રાજાએ નગરમાં દરેક ચૌટે અને માર્ગમાં નદીના ખેલ, નાટક, નૃત્યાંગનાઓ, સુશોભનો ઇત્યાદિ એવાં કરાવ્યા કે માણસ તે જોવા લલચાય અને તેલ ઢોળાઈ જાય. પેલો માણસ પાત્રમાં તેલ લઈને નીકળ્યો. પણ એનું ચિત્ત તેલની સામે જ એકાગ્ર હતું. માર્ગમાં વિવિધ આકર્ષક અવાજો, દશ્યો હતાં પણ તે જોવા સાંભળવામાં એણે જરા પણ રસ ન લીધો, કારણ કે મૃત્યુનો ભય હતો. એમ કરતાં તેલના પાત્રમાં જ ચિત્તને સતત એકાગ્ર રાખીને એક પણ ટીપું ઢોળાયા વગર તે રાજા પાસે આવી પહોંચ્યો.
રાજાએ એને શાબાશી આપી અને એની સજા માફ કરી અને એની પાસે કબૂલ કરાવ્યું કે મનુષ્યનું ચિત્ત ધારે તો એકાગ્ર થઈ શકે છે. એમાં પણ માથે મોટો ભય ઝઝૂમતો હોય તો ચિત્ત એ ભયથી મુક્ત કરાવનાર વસ્તુમાં અત્યંત એકાગ્ર બની જાય છે.
તેવી રીતે માણસને, મુનિ ભગવંતને સંસાર–પરિભ્રમણનો ભય સતાવતો હોય તો તેમનું ચિત્ત સંયમયાત્રામાં, ચારિત્રક્રિયામાં, મોક્ષસાધનામાં એકાગ્ર બની શકે. એ માટે સંસાર ભયરૂપ લાગવો જોઈએ. જો સંસાર ભયરૂપ નહિ પણ ભોગવવા જેવો લાગતો હોય તો મોક્ષના વિષયમાં એને રસ નહિ પડે. એમાં એનું ચિત્ત એકાગ્ર નહિ થઈ શકે.
અહીં બીજું દષ્ટાન્ન આપ્યું છે રાધાવેધનું. રાધા એટલે પૂતળી. વેધ એટલે વીંધવું, નિશાન તાકવું. જૂના વખતમાં ધનુષ્યવિદ્યામાં માણસ ત્યાં સુધી પારંગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org