________________
૨૨. ભવોઢેગાષ્ટક
૨ ૯૫
અનુભવી, જ્ઞાની વહાણવટીઓ એમાંથી હિંમતપૂર્વક ઉપાય શોધી કાઢી, આગળ વધી સામે કિનારે પહોંચી જાય છે.
જેમને સંસારના સ્વરૂપનું જ્ઞાન ન હોય તે એમાંથી રસ્તો કેમ કાઢી શકે ? પરંતુ સંસારના વિષમ સ્વરૂપથી ઉદ્વેગ પામેલા જ્ઞાની મુનિઓને એમાંથી રસ્તો કાઢવાનું આવડે છે. [૧૪] તૈનપાત્ર યહૂદ્ રાધાવેધોતિ યથા !
क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः ।।२२।।६।। [શબ્દાર્થ તૈનપાત્રધર:=તેલના પાત્રને ધારણ કરનાર; =જેમ; રવાયોદ્યત:= રાધાવેધ સાધવામાં તત્પર; યથા=જેમ; ડ્રિયાસુત્રક્રિયામાં, ચારિત્રમાં; અનન્યવત્ત:=અનન્યચિત્તવાળા; =થાય છે, હોય છે; મયમીત:=સંસારથી ભય પામેલા; તથા=તેમ; મુનિ=મુનિ, સાધુ.]
અનુવાદઃ જેમ તેલના પાત્રને ધારણ કરનાર અને જેમ રાધાવેધ સાધવામાં તત્પર માણસ ક્રિયામાં અનન્ય ચિત્તવાળો હોય છે, તેમ સંસારથી ભય પામેલા મુનિ (એકાગ્ર ચિત્તવાળા) હોય છે. (૬)
વિશેષાર્થ સંસારથી ભય પામેલા મુનિ મહારાજની પોતાની સંયમયાત્રામાં, ચારિત્રપાલનમાં, મોક્ષપ્રાપ્તિ માટેની સાધનામાં એકાગ્રતા હોવી જોઈએ. એમનું ચિત્ત સતત અને સંપૂર્ણપણે એમાં પરોવાયેલું હોવું જોઈએ.
આ એકાગ્રતા કેવા પ્રકારની હોય તો ઉત્કૃષ્ટ કહેવાય ? એ માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં બે પ્રાચીન દૃષ્ટાન્ત આપ્યાં છે. એક તે તેલનું પાત્ર ધારણ કરનારનું અને બીજું રાધાવેધનું.
પ્રાચીન સમયમાં એક નગરીમાં એક લક્ષણવંતો માણસ હતો. પણ તે માનતો હતો કે મનુષ્યનું ચિત્ત ક્યારેય એકાગ્ર થઈ ન શકે. તે એટલું ચંચળ છે કે એક વિષય પરથી બીજા વિષય પર નિરંતર કૂદાકૂદ કર્યા જ કરે છે. રાજાને આ વાતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org