________________
૨૯૪
જ્ઞાનસાર
સર્વ પ્રકારના ઉદ્યમથી તેને તરી જવાના ઉપાયની આકાંક્ષા સેવે છે. (૫)
વિશેષાર્થ અહીં ઉપાધ્યાયજી મહારાજે પાંચ શ્લોકમાં સંસારને માટે સમુદ્રનું રૂપક પ્રયોજ્યું છે. (એમણે “અધ્યાત્મસાર'માં સંસાર માટે જંગલ, કારાગાર, સ્મશાન, કૂપ વગેરે પ્રકારનાં રૂપકો પ્રયોજ્યા છે.) આ રૂપકની વિશિષ્ટતા એ છે કે સંસારરૂપી સમુદ્રના મોટા રૂપકમાં નાની નાની વિગતોનાં યથાર્થ પેટા રૂપકો યોજવામાં આવ્યાં છે. તેઓ વર્ણવે છે કે (૧) આ સમુદ્રનો મધ્યભાગ અગાધ છે. અગાધ એટલે બહુ જ ઊંડો, જેનું તળિયું જલ્દી ન આવે એવો. (૨) છેવટે જે તળિયું આવે છે તે વજનું બનેલું છે. એ સહેલાઈથી ભેદી ન શકાય એવું છે. માનવરૂપી સંસારમાં અજ્ઞાનરૂપી તળિયું છે. સમગ્ર સંસાર અજ્ઞાનના પાયા ઉપર રચાયેલો છે. (૩) એમાં સંકટરૂપી પર્વતોની હારમાળા છે. (૪) એના માર્ગો વિષમ-દુર્ગમ છે. સંસારરૂપી સમુદ્ર સરળતાથી પાર તરી જવાય એવો નથી. એમાં સીધી ગતિએ વહાણ ચાલી શકે એમ નથી. (૫) એમાં તૃષ્ણા, વિષયોની અભિલાષારૂપી વેગવંત મહાવાયુ કુંકાઈ રહ્યો છે. (૬) એમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયરૂપી પાતાળકળશો છે. (૭) એમાં ચિત્તના સંકલ્પ-વિકલ્પ રૂપી ભરતી આવે છે. (૮) એમાં તળિયે કંદર્પ–કામવાસનારૂપી વડવાનલ નિરંતર બળી રહ્યો છે, કારણ કે એમાં સ્નેહ-રાગરૂપી ઇંધનો સતત હોમાતાં રહે છે. (૯) આ સમુદ્રમાં રોગરૂપી ભયંકર માછલા અને શોકરૂપી કાચબા સતાવે છે. (૧૦) એમાં દુર્બુદ્ધિરૂપી વીજળી ત્રાટકે છે, (૧૧) ગુણમત્સરરૂપી વાવાઝોડાં થાય છે અને (૧૨) દ્રોહ-અપકારની વૃત્તિ, છેતરપિંડી રૂપી ભયંકર ગર્જનાઓ સંભળાય છે. (૧૩) એમાં સાંયાત્રિકો એટલે કે વહાણ હંકારનારા અનુભવી વહાણવટીઓ પણ ઉત્પાતરૂપી સંકટોમાં સપડાઈ જાય છે.
આમ અજ્ઞાન, તૃષ્ણા, વિષયવાસના, ક્રોધાદિ કષાયો, સંકલ્પ-વિકલ્પો, રાગદ્વેષ, રોગશોક, દુર્બુદ્ધિ, ગુણમત્સર, દ્રોહ વગેરેથી ભરચક આ સંસારરૂપી સાગર પાર ઊતરવાનું, સામે કિનારે પહોંચવાનું અત્યંત મુશ્કેલ છે. આમ છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org