________________
૩૪૪
જ્ઞાનસાર
શ્રુતાભ્યાસ પછી કેવળજ્ઞાનના થોડાક કાળ પૂર્વે થનારા અનુભવ વિશે અહીં વાત છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય' અને ષોડશક'માં એનાં લક્ષણો બતાવ્યાં છે.
यथार्थ वस्तुस्वरूपोपलब्धि-परभावारमण-तदास्वाद-नैकत्वमनुभवः । | [યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન, પરભાવમાં રમણતાનો અભાવ, સ્વસ્વરૂપમાં રમણતા અને તેનાં આસ્વાદનમાં તન્મયતા એ “અનુભવ” છે.]
સાધક જો સાચી દિશામાં સાધના કરવા ઇચ્છતો હોય તો એણે એકસાથે અથવા ક્રમે ક્રમે પરપદાર્થોની આસક્તિ છોડી દેવી જોઈએ. જયાં સુધી ગૃહસ્થજીવન છે. ત્યાં સુધી એકંદરે પરપદાર્થોની આસક્તિમાંથી છૂટવાનું અઘરું છે. છૂટવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં સંજોગો અને સ્વજનપરિવાર અને ગૃહસ્થ તરીકેની ફરજો એવી રીતે બંધનમાં નાખે છે કે પરભાવમાં પરાણે ઘસડાવું પડે છે. ક્યારેક ગૃહસ્થ સાધક ભ્રમમાં રહે છે કે પોતે તો અલિપ્ત રહીને બધી ક્રિયાઓ કરે છે, પણ એક નહિ તો અન્ય પ્રકારની આસક્તિ સૂક્ષ્મ સ્વરૂપે એના ચિત્તમાં બેઠેલી હોય છે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. રહેઠાણ, વસ્ત્રો, ઉપકરણો, ભોજનની વાનગીઓ, વાહનો ઇત્યાદિમાં બિલકુલ રસ ન લેવો એ ગૃહસ્થ સાધક માટે ઘણી અઘરી વાત છે. સાધક પોતે ભ્રમમાં રહે છે અને અનુયાયીઓ, સેવકો, અંગત સાથીઓ એવા ભ્રમમાં રાખે છે. પદાર્થો પ્રત્યે નહિ, તો પોતાની પ્રવૃત્તિઓ માટે આસક્તિ રહે છે. ક્યારેક સમાન કક્ષાના ગૃહસ્થ સાધકો વચ્ચે સૂક્ષ્મ અસૂયાનો ભાવ રહે છે.
પંચમહાવ્રતધારી મુનિમહારાજ માટે પણ પરભાવમાંથી નિવૃત્ત થવાનું કઠિન છે. એમને પણ વસ્ત્રાદિ ઉપકરણો, શિષ્યો, ભક્તજનો, વિશિષ્ટ ક્ષેત્રો ઇત્યાદિ માટે આસક્તિનો સંભવ રહે છે.
મુનિઓનો શ્રુતજ્ઞાનનો અભ્યાસ ઉત્તરોત્તર વધતો જવો જોઈએ. એ દ્વારા આંતરપરિણતિ પણ શુદ્ધ થતી જવી જોઈએ. જ્યાં સુધી શ્રુતાભ્યાસની સાથે સાથે એના વિશે અનુપ્રેક્ષા-ચિંતનમનન, નિદિધ્યાસન થતાં નથી ત્યાં સુધી તે માત્ર
Jain Education International
• For Personal & Private Use Only
www.jainelibrary.org