________________
૨૬. અનુભવાષ્ટક
૩૪૩
૨૬ અનુભવાષ્ટક [૨૦૧] સÀવ હિનપત્રિચ્યાં વત્તકૃતયો: પૃથવI
વુર્ધરનુભવો ડ્રણ વતારુણોદય: Jારધારા [શબ્દાર્થ =સંધ્યા, સાંજ; વં=જેમ; વિનર ત્રિખ્ય=દિવસ અને રાત્રિથી;
વેતકૃતો:=કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી; પૃથg=જુદો, ભિન્ન; q=જ્ઞાનીઓએ; મનુમત્ર:અનુભવ; તૃષ્ઠ:=દીઠો છે; વેવતાવળf=કેવળજ્ઞાનરૂપી સૂર્ય; અરુણોદય:=અરુણોદય, પરોઢ.]
અનુવાદઃ જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન, કેવલજ્ઞાનરૂપી સૂર્યના અરુણોદય સમાન અનુભવ જ્ઞાનીઓએ દીઠો છે. (૧)
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકની ટીકામાં કહ્યું છે, “જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન, કેવળજ્ઞાનરૂપી સૂર્યના અરુણોદયરૂપ અનુભવ જ્ઞાનીઓએ દીઠો છે. એટલે મતિ-શ્રુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવળજ્ઞાનથી અવ્યવહિત (અન્તરરહિત) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કહે છે. એનું બીજું નામ પ્રાતિજજ્ઞાન છે.”
અહીં “અનુભવ” અથવા અનુભવજ્ઞાનનાં લક્ષણો કહ્યાં છે. સામાન્ય વ્યવહારમાં આપણે આનંદપ્રમોદના, સુખદુ:ખના, એમ વિવિધ પ્રકારના અનુભવોની વાત કરીએ છીએ. એ અનુભવના જ્ઞાનની વાત અહીં નથી. તપ, જપ, યોગાભ્યાસ, ધ્યાન ઇત્યાદિમાં વિવિધ પ્રકારના અસાધારણ સૂક્ષ્મ અનુભવો થાય છે. એ અનુભવની પણ અહીં વાત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org