SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ૨ જ્ઞાનસાર [તેથી લોકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય ? માટે નિશ્ચય-દૃષ્ટિથી મૂચ્છથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહેલો છે. તેથી રાગદ્વેષરહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિગ્રહરૂપ છે અને સંયમનો જે ઉપઘાત કરનાર છે તે પરિગ્રહ છે.] અપરિગ્રહમાં બાહ્ય ત્યાગ એ પહેલી આવશ્યકતા છે. કોઈક વિરલ મહાત્માઓ માટે એ બની શકે કે તેઓ ભરપૂર પરિગ્રહની વચ્ચે બેઠા હોય અને છતાં અપરિગ્રહી રહી શકે. મનુષ્યનું મન અત્યંત ચંચળ છે. બાહ્ય ત્યાગ કર્યા પછી ક્યારેક ક્ષણ માટે પણ તેમાં મૂર્છા આવી જવાનો સંભવ રહે છે. રસ્તાનો કોઈ ભિખારી હોય અને એની પાસે કશું જ ન હોય, પણ એને જે કંઈ જૂની, બગડેલી વસ્તુ આપી તો પણ રાજી રાજી થઈ જાય છે. એંઠવાડમાંથી પણ તે વીણી વીણી ખાય છે. પોતાની પાસે કશું જ ન હોવા છતાં પ્રાપ્તિ માટેની એની આકાંક્ષા અપાર હોય છે. એને માટે આખું જગત પરિગ્રહરૂપ છે. બીજી બાજુ ઊંચી દશાના કોઈ મુનિ મહારાજને સંજોગવશાત્ વિહારમાં ક્યાંક આલીશાન મકાનમાં ઉતારો કરવો પડ્યો હોય, ચારે બાજુ ભક્તો મોટરકારમાં દોડાદોડી કરતા હોય, ભાતભાતની વાનગીઓ ભોજન માટે બનાવવામાં આવી હોય, પરંતુ મહાત્મા દેહ નિર્વાહ અર્થે ચતુર્કિંચિત્ લઈ પોતાના સ્વરૂપમાં લીન થઈ જઈ શકે છે. પરિગ્રહરૂપી આકર્ષક વસ્તુઓથી ન તેમને હર્ષ થાય કે ન કોઈ બીજો ભાવ થાય. આ બધામાંથી તેમણે પોતાના ચિત્તને સર્વથા નિવૃત્ત કરી લીધું હોય તો પરિગ્રહથી વીંટળાયેલા હોય છતાં તેઓ મૂર્છારહિત અપરિગ્રહી છે એમ કહી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy