________________
૨૫. પરિગ્રહાષ્ટક
૩૪૧
ભગવંતને બીજા કોઈ પ્રમાણપત્ર આપી શકે નહિ. [૨૦૦] મૂછંછન્નથિયાં સર્વ નવ પરિગ્રહ: ..
मूच्छर्या रहितानां तु जगदेवापरिग्रहः ।।२५।।८।। [શબ્દાર્થ મૂછંછન્ન=મૂછથી ઢંકાયેલી ધિયાં=બુદ્ધિવાળાને; સર્વ=સર્વ, બધું; ન વ=જગત જ; પરિઘ =પરિગ્રહ; મૂર્જીયા=મૂર્છાથી; હિતાનાંકરહિતને; તુ=પરંતુ; ના વ=જગત જ; અપરિગ્રહ:=અપરિગ્રહરૂપ છે.]
અનુવાદ: જેમની બુદ્ધિ મૂર્છાથી ઢંકાયેલી છે તેઓને માટે સર્વ જગત જ પરિગ્રહરૂપ છે, પરંતુ જેઓ મૂર્છારહિત છે તેઓને માટે જગત જ અપરિગ્રહરૂપ છે. (૮)
વિશેષાર્થ : કોઈ પણ જીવને કોઈપણ ચીજવસ્તુ માટે પરિગ્રહનો લગાવ છે કે નહિ એ જાણવા માટે એની એક અત્યંત મહત્વની કસોટી અહીં આપવામાં આવી છે. ૧. મૂર્છા હોય તો આખું જગત પરિગ્રહરૂપ છે. ૨. મૂર્છા ન હોય તો આખું જગત અપરિગ્રહરૂપ છે. પહેલી વાત જગતના સામાન્ય માણસોને વિશેષપણે લાગુ પડે છે. બીજી વાત મુખ્યત્વે જ્ઞાની મહાત્માઓ માટે છે.
મૂચ્છ એટલે બેહોશી, ભાન ભૂલવું, આસક્તિ, લુબ્ધતા, રાગ ઇત્યાદિ. શાસ્ત્રકારો પરિગ્રહને મૂચ્છ તરીકે ઓળખાવે છે.
ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક પરની પોતાની ટીકામાં “વિશેષાવશ્યક ભાષ્ય'માંથી નીચેની ગાથાઓ ટાંકી છે.
तम्हा किमस्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए। गंथोऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ॥ वत्थाइ तेण जं जं संजम साहणम रागदोसस्स । तं तं परिग्गहो च्चिय परिग्गहो जं तदुवघाई ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org