SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જ્ઞાનસાર મૌયિવિષ ઓદયિક વગેરે, છાશ આકાશન; =જેમ; પન=કાદવથી ન=નથી; સૌ=/; આ; પાન=પાપ વડે; તિથd=લપાતો.] અનુવાદ–જે વળગેલા ઓદયિક વગેરે ભાવોમાં મૂંઝાતો નથી, તે જેમ આકાશ કાદવથી લેપતું નથી તેમ પાપથી લપાતો નથી. (૩) વિશેષાર્થ : ગ્રંથકારશ્રી કહે છે કે જ્ઞાની મહાત્માઓ કે એવા ઊંચી કક્ષાના સાધક જીવો પોતાને લાગેલા ઔદયિક આદિ ભાવમાં મૂંઝાતા નથી. અહીં દયિક વગેરે ભાવોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આત્માના મુખ્ય પાંચ ભાવ છેઃ ઓપશમિક ભાવ, લાયોપથમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ અને પરિણામિક ભાવ. ઔદયિકભાવ જીવના ગુણોનો વિકારી ભાવ છે. સર્વ સંસારી જીવોને અનાદિ કાળથી ઔદયિક ભાવ હોય છે અને તે નિર્વાણ સુધી રહે છે. સમર્થ મહાત્માઓ પુરુષાર્થ વડે વિકારી ભાવોના ઉદયને નિષ્ફળ બનાવી દે છે. અનાદિ કાળથી જીવ કર્મની સત્તામાં દબાયેલો રહે છે. જૂનાં કર્મો ઉદયમાં આવી નિર્જરી જાય છે. પણ ઉદય વખતે સુખદુઃખ, ઇષ્ટ-અનિષ્ટ, રાગદ્વેષ ઇત્યાદિના અશુદ્ધ ભાવોને કારણે ફરી પાછાં નવાં કર્મો તે બાંધે છે અને એમ કર્મની પરંપરા ચાલ્યા કરે છે. જીવ જેટલો કાળ, વિભાવમાંથી પાછો હઠી સ્વભાવમાં આવી જાય એટલો કાળ એને કર્મબંધ થાય નહિ. જીવ કર્મના ઉદયમાં જોડાય નહિ તો કર્મને યોગ્ય નિમિત્ત ન મળવાથી તે નિર્જરી જાય છે. દયિક ભાવનાં એકવીસ અંગ છે અથવા તેના એકવીસ પ્રકાર છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ, છ વેશ્યા, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. મોહના ત્યાગવાળા જે જ્ઞાની મહાત્મા પોતાના વિશે લાગેલા ઓદયિક ભાવમાં એટલે કે શુભાશુભ કર્મના ઉદયરૂપી વિપાક વખતે તેમાં જોડાતા નથી, નિર્લેપ રહે છે, ઉદાસીન રહે છે. તેઓ નવાં કર્મ બાંધતા નથી. ઔદયિક ભાવ ઉપરાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy