________________
૪. મોહત્યાગાષ્ટક
૫ ૩
એ ફલિત થાય છે કે “આ ઘર મારું નથી, માલ મિલકત મારાં નથી, સ્વજનો મારાં નથી, અરે મારું કહેવાતું શરીર તે પણ મારું નથી. આ સર્વ અનિત્ય છે. માત્ર મારો શુદ્ધ આત્મા તે મારો છે. હું શુદ્ધ આત્મસ્વરૂપ છું.”
આ ચિંતનમાંથી ચિંતનધારા આગળ ચાલશે કે “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું એટલે કે હું શ્રીમંત નથી કે ગરીબ નથી, નાનો નથી કે મોટો નથી, હું પિતા નથી કે માતા નથી, પુત્ર નથી કે પુત્રી નથી, વેપારી નથી કે નોકર નથી, હું ડૉક્ટર નથી કે એન્જિનિયર નથી, હું પંડિત નથી કે અધ્યાપક નથી, હું ગુરુ નથી કે શિષ્ય નથી.” આ પ્રકારનું ચિંતન જીવને પોતાના જ્ઞાનગુણ તરફ, આત્માના જ્ઞાયક સ્વભાવ તરફ લઈ જાય છે. “હું જ્ઞાનગુણથી અન્ય નથી” અને “પરપદાર્થ અને પરભાવ તે મારા નથી' એવી ભાવના જીવને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરાવે છે.
આમ સ્વસ્વરૂપને વિશે સ્વપણું અને પરસ્વરૂપને વિશે પરપણું ચિત્તમાં વસી જાય અને ચિંતન, ભાવના ઇત્યાદિ દ્વારા અનુભવમાં આવી જાય તો તેવું ભેદજ્ઞાન મોહને હણે છે. પરપુગલ અને પરભાવમાંથી આસક્તિ છૂટી જાય એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવાય. એમ કરવાથી મોહને હણી શકાય છે.
વસ્તુતઃ આ ચાર શસ્ત્રો એવાં છે કે જેથી મોહ હણાઈ જાય છે અથવા એમ કહી શકાય કે મોહને હણવાની જરૂર પણ પડતી નથી, એ શસ્ત્રો જોઈને જ મોહ પોતાની મેળે ભાગી જાય છે. અલબત્ત, ઘણી ઊંચી આત્મદશા હોય તો જ આ થઈ શકે.
આવા જ્ઞાની મહાત્માઓ કર્મના ઉદય સમયે ઉદાસીન રહે છે અને આસવોનો, કર્મબંધના નિમિત્તોનો ત્યાગ કરે છે. [૨૭] યો ન મુતિ તનેy માધ્વયિતિપુ !
आकाशमिव पङ्केन नासौ पापेन लिप्यते ।। ४ ।। ३ ।। [શબ્દાર્થ =જે; ન મુક્ષ્યતિ મૂંઝાતો નથી; તમેષ લાગેલા માવેષ=ભાવોમાં;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org