________________
૪ ૨ ૨
જ્ઞાનસાર
૩૨. સર્વનયાશ્રયણાષ્ટક [૨૪૯] ઘાવતોડપિ નયા: સર્વે યુવે વિશ્રમ: I
વારિત્રગુપત્નીન: સ્થાવિતિ સર્વનાશ્રિત: રૂ ૨ાા [શબ્દાર્થ : ધાવત:=દોડતા; પિકપણ; નયા:=નયો; સર્વે બધા; યુ =હોય છે; ભાવે=ભાવમાં, વસ્તુસ્વભાવમાં; વિશ્રમી:=જેણે વિશ્રામ કર્યો છે, સ્થિરતા કરી છે એવા; વારિત્રગુપત્નીન=ચરિત્રના ગુણમાં લીન; =હોય; તિeતેથી, એ પ્રમાણે; સર્વ =સર્વ, બધા; નયાશ્રિત:=નયોનો આશ્રય કરેલો છે એવા (સાધુ).]
અનુવાદ (પોતપોતાના પક્ષને સિદ્ધ કરવા માટે) દોડતા હોય પણ વસ્તુસ્વભાવમાં જેણે સ્થિરતા કરી છે એવા બધા નયો છે. એટલે ચારિત્રગુણમાં લીન (સાધુ) સર્વ નયોનો આશ્રય કરનાર હોય છે. (અથવા સર્વ નયનો આશ્રય કરનાર સાધુ ચારિત્રગુણમાં લીન હોય છે.) (૧)
વિશેષાર્થઃ પદ્રવ્યરૂપ સંસારમાં અનંતાનંત વસ્તુઓ છે. પ્રત્યેક વસ્તુના અનંત ધર્મ અર્થાત્ ગુણલક્ષણો છે. એટલે કહ્યું છે. મનન્ત થભ વસ્તુ ! આ અનંત ધર્મોમાંથી બધા ધર્મોની આપણને ખબર નથી. કોઈકને અમુક ધર્મોનું જ્ઞાન હોય છે, તો બીજાને બીજા ધર્મોનું જ્ઞાન હોય છે. જે કોઈ એક અથવા અમુક ધર્મનું કથન કરે છે તે નય છે. પણ નય અપૂર્ણ છે. બધા નયો અપૂર્ણ હોય છે. પરંતુ તે ખોટા નથી હોતા. એમાં સત્યનો અંશ હોય છે.
કોઈપણ એક નયને પકડીને વાત કરનાર નયવાદી કહેવાય છે. પોતાને ખબર છે અને પોતે સાચા છે એવું કહેવાની ઉતાવળ દરેક નયન-નયવાદીને હોય છે. તે પોતાની માન્યતાને સિદ્ધ કરવા દોડે છે. પરંતુ માત્ર કોઈપણ એક જ નયનો સ્વીકાર કે અસ્વીકાર કરવાથી રાગદ્વેષ થાય છે. ચારિત્ર્યગુણમાં લીન એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org