________________
૨ ૧૪
જ્ઞાનસાર
આવી લબ્ધિ-સિધ્ધિ જ મોટા મહાત્માઓને નીચે પાડે છે.
ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં વાચક ઉમાસ્વાતિજીના પ્રશમરતિ' ગ્રંથમાંથી નીચેના બે શ્લોક ટાંક્યા છેઃ
सातद्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः ।
सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनि संगम् ।। [અન્ય પ્રાણીઓને દુર્લભ એવી ઋદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને, સાતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવ રહિત મુનિ તે ઋદ્ધિના સુખમાં આસક્ત ન થતાં પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે.]
या सर्वसुरवरद्धि विस्मयनीया न सात्वनगारद्धे।
नार्घति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ।। [સર્વ દેવોની વિસ્મય પમાડે એવી જે ઋદ્ધિ છે તેને લાખ વાર (શત સહસ્ત્ર) કરોડગણી કરવામાં આવે તો પણ તે સાધુની આત્મિક સંપત્તિના હજારમાં ભાગ જેટલી થતી નથી.]
આમ, અપૂર્વકરણ ગુણસ્થાનકે સાધક મુનિને ઋદ્ધિ-લબ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તેઓ આસક્ત થતા નથી, લોભાતા નથી. તેઓ વિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ કરતા કરતા અપ્રમત્ત રહીને ઉર્ધ્વરોહણ કરે છે. [૧૧૮] માત્મચેવાભન: કુર્યાત્ ય: પારસંતિમ્
क्वाविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् ।। १५ ।। ७ ।। [શબ્દાર્થ આત્મનિ=આત્મામાં; પર્વ=જ; માત્મનઃ=આત્માના; ર્યા–કરે, ઘટાવે;
=જે; ષREછ કારક; સંપતિ=સંબંધ, સંગતિ; =ક્યાંથી હોય; મનવેગવર્નરહ્યુ=અવિવેકરૂપી જ્વર (તાવ)નું; વૌષષ્ય વિષમપણું; નડમન્નના=જડમાં (પુદ્ગલમાં) નિમગ્ન થવાથી.]
અનુવાદ-જે આત્મામાં જ આત્માના છ કારકનો સંબંધ ઘટાવે છે એને જડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org