________________
૧૩. મૌનાષ્ટક
૧૮૯
આવી રીતે આત્મસ્વરૂપના વિષયમાં અતાત્વિક જ્ઞાન અને અતાત્વિક શ્રદ્ધા હોય તો તેની પ્રવૃત્તિ થાય નહિ અને તેનું ફળ પણ પ્રાપ્ત ન થાય. શુદ્ધ આત્મસ્વભાવમાં ચરણ એટલે કે રમણતા રૂપ આચરણ ન થાય અને રાગ, દ્વેષ, મોહરૂપી દોષોની નિવૃત્તિરૂપી ફળ પ્રાપ્ત ન થાય તો તે જ્ઞાન તે જ્ઞાન નથી અને દર્શન તે દર્શન પણ નથી.
પ્રવૃત્તિ અને ફળની દૃષ્ટિએ કોઈપણ વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય થઈ શકે છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી દર્શન, જ્ઞાન અને ચારિત્રનું ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાનરહિત ક્રિયા નિષ્ફળ છે અને ક્રિયારહિત જ્ઞાન નિષ્ફળ છે. [૧૦૨] યથા શોપસ્ય પુષ્ટવં યથા વા વધ્યમાનમ્ |
તથા જ્ઞાનમ્ મવોમામાત્મતૃપ્તો મુનિર્મવેત્ II ૨૩ || ૬ || [શબ્દાર્થ યથા=જેમ; શોશ્યકસોજાનું; પુણવં=પુષ્ટપણું, જાડાપણું; યથા=જેમ; વા=અથવા; વધ્ય=વધ કરવા યોગ્ય, વધ (ફાંસી)ની સજા જેને થઈ હોય તે; મનમ=સુશોભન, શણગારવું; તથા તેમનાનન=જાણનાર; મવોના ભવના ઉન્માદને, સંસારની ઘેલછાને; માત્મતૃતિ:=આત્માને વિશે સંતુષ્ટ; મુનિ=મુનિ; મ=થાય છે.].
અનુવાદ-જેમ સોજાના જાડાપણાને અથવા વધ માટે લઈ જવાતા માણસના શણગારને અને તેમ સંસારના ઉન્માદને જાણનાર મુનિ આત્મા વિશે જ સંતુષ્ટ થાય. (૬)
વિશેષાર્થ: આત્મસાધના માટે મુનિપણું જો ગ્રહણ કર્યું હોય, મોક્ષપ્રાપ્તિ માટેના પુરુષાર્થનું જ જો લક્ષ્ય હોય તો મુનિની સંસાર પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ જાય છે અને એનો વ્યવહાર પણ એવો જ શુદ્ધ રહે છે. મોક્ષાભિલાષાના ધ્યેય સાથે મુનિપણું ગ્રહણ કર્યું હોય, પણ પછી વ્યવહારમાં લોકસંજ્ઞાથી ચાલતો હોય અને આખો દિવસ સતત બહિર્મુખતામાં જ પસાર થઈ જતો હોય તો વખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org