SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પાનસાર તોષનિવૃત્તિ:=દોષની નિવૃત્તિરૂપ; વી=અથવા; ન=નથી; ત=0; જ્ઞાનં=જ્ઞાન; ન=નથી; વર્શનEશ્રદ્ધા.] અનુવાદ–તેમ, જેનાથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ ન થાય અથવા દોષનિવૃત્તિરૂપ ફળ પ્રાપ્ત ન થાય તે જ્ઞાન નથી અને દર્શન (શ્રદ્ધા) નથી. (૫) વિશેષાર્થ : અશુદ્ધ જ્ઞાનની નિષ્ફળતા દર્શાવવા માટે અહીં મણિનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. પહેલાંના વખતમાં એવા વૈડૂર્ય મણિ અર્થાતુ એક પ્રકારનાં રત્નો હતાં (હવે છે કે નહિ એ વિશે જાણકારી જોવા મળતી નથી) કે જેનાથી સર્પનું ઝેર ઉતારી શકાતું. વળી બરાબર એના જેવો જ સાદા કાચનો ટુકડો પણ હોય છે. કોઈ કાચના ટુકડાને મણિ માની લે તો એ મણિની કોઈ પ્રવૃત્તિ ન થઈ શકે, જેમકે એને વેચવા જાય તો કોઈ રત્નપારખું ઝવેરી ખરીદે નહિ કે કોઈ ઘરેણાંમાં એને બેસાડે નહિ, વળી આવા ખોટા મણિનું ફળ પણ આવે નહિ, એટલે કે એનાથી સર્પનું ઝેર ઊતરે નહિ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાને કહ્યું છે : पुल्लेव मुट्ठी जह से असारे अयंतिए कूडकहाणवे वा । राढामणी वेरुलियप्पगासे अमहग्घओ होइ हु जाणएसु ।। [જેમ અસાર એવી ખાલી મૂઠી, અયંત્રિત (પ્રસિદ્ધિને નહિ પામેલો) ખોટો કાર્દાપણ (એક જાતનું ચલણ-સિક્કો) તથા કાચનો ખોટો મણિ જે વૈડૂર્યમણિ જેવા પ્રકાશવાળો હોય છે એ બધાં જાણકાર માણસો આગળ કિંમત વિનાનાં હોય છે.] સાચા મણિને બદલે કાચનો ટુકડો એ મણિ છે એવું કોઈ માની લે તો એની એ શ્રદ્ધા અતાત્વિકી છે. એનું જ્ઞાન નિષ્ફળ છે, કારણ કે મણિ જેવા દેખાતા કાચના ટુકડાથી કોઈ પ્રવૃત્તિ થઈ શકશે નહિ અને પ્રવૃત્તિ કરવા જાય તો એનું ફળ મળશે નહિ. ખોટા મણિથી સાપનું ઝેર ઊતરે નહિ એટલે આવાં જ્ઞાન અને શ્રદ્ધા અતાત્વિક છે, અસત્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy