________________
ઉપસંહાર
૪૩૭
(૩૧) તપની ભૂમિકાવાળા અને (૩૨) સર્વનયોનો આશ્રય કરનારા હોય. (૪)
વિશેષાર્થ ઃ આ ચાર શ્લોકમાં “જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોના વિષયોનાં નામ ક્રમાનુસાર ગોઠવવામાં આવ્યાં છે. આ નામો શ્લોકબદ્ધ છે એટલે કંઠસ્થ કરી લેવાય એવાં છે. આ બત્રીસ અષ્ટકના વિષયો એકબીજા સાથે સંલગ્ન છે અને એમાં સમગ્ર જૈન દર્શનનો નિચોડ આવી જાય છે. આ અષ્ટકો આમ તો મુનિ મહારાજને ઉદ્દેશીને લખાયાં છે, પણ શ્રાવકો પણ તેનો લાભ લઈ શકે છે. આ વિષયોનું ભાવન કરવામાં આવે તો પણ તે લાભકારક છે. એથી આત્મપરિણતિ વિશુદ્ધ થાય છે. મોક્ષાભિલાષી જીવોએ આ અષ્ટકોનો આશ્રય કરવા જેવો છે.
આ અષ્ટકોમાં “પૂર્ણતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે આત્મગુણોની પરિપૂર્ણતાથી જમોક્ષ છે. એટલે “પૂર્ણતા' એ મોક્ષાભિલાષી જીવનું અંતિમ ધ્યેય છે. [૨૬૧] પર્ણ નિર્ણદ્વિતં તમષ્ટ પ્રતિપન્નવીન્ા.
મુનિર્મહોયં જ્ઞાનસાર સમાચ્છતિ [શબ્દાર્થ સ્પષ્ટ સ્પષ્ટ નિર્ણહૂિર્તા=નિશ્ચિત કરેલા; તત્ત્વ=તત્ત્વને; 9:=અષ્ટકો વડે; પ્રતિપન્નવાન =પ્રાપ્ત થયેલા; મુનિ =મુનિ, સાધુ, જ્ઞાની; મહોયં=જેથી મહાન અભ્યદય થાય છે એવા; જ્ઞાનસારં=જ્ઞાનના સારને; સમધિ છતિ=સારી રીતે પ્રાપ્ત થાય છે.]
અનુવાદઃ અષ્ટકો વડે સ્પષ્ટ, નિશ્ચિત કરેલા તત્ત્વને પામેલા મુનિ મહાન અવ્યુદય કરનાર જ્ઞાનસારને (જ્ઞાનના સારભૂત શુદ્ધ ચારિત્રને) સારી રીતે પામે છે. (૫)
વિશેષાર્થ: શ્લોક નં. ૨૬૧ થી ૨૬૮ નો વિશેષાર્થ સાથે આપ્યો છે. [૬૨] નિર્વિવા નિરીવાજં જ્ઞાનસરમુખેયુષીમ્ |
विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ।।६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org