SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ [શબ્દાર્થ : યિાયં=ક્રિયાથી રહિત; 7=અને; યજ્ઞાનું=જે જ્ઞાન; જ્ઞાનશૂન્યા=જ્ઞાનથી રહિત; ==અને; યા=જે; યિા=ક્રિયા; અનયો:=આ બંનેનું; અન્તર=અન્તર; જ્ઞેયં=જાણવું; માનુ=સૂર્ય; વદ્યોતયો:=ખજુઆના, આગિયાના; =જેવું.] અનુવાદઃ જે જ્ઞાન ક્રિયાશૂન્ય છે અને જે ક્રિયા જ્ઞાનશૂન્ય છે એ બે વચ્ચેનું અંતર સૂર્ય અને આગિયા જેવું જાણવું. (૧૧) [૨૬૮] ચારિત્ર વિરતિ: પૂર્વા જ્ઞાનસ્યોર્ષ વં હૈિં । ज्ञानाद्वैतनये दृष्टिर्देया तद्योगसिद्धये ।। १२ ।। જ્ઞાનસાર [શબ્દાર્થ : ચરિત્રં=ચારિત્ર; વિત્તિ:=વિરતિ, વૈરાગ્ય; પૂ:=પૂર્ણ, સંપૂર્ણ; જ્ઞાનસ્ય=જ્ઞાનનો; ર્ષ:=ઉત્કર્ષ, અતિશય; વ=જ; હિ=ખરેખર જ્ઞાનાદ્વૈતનયે (જ્ઞાન+અદ્વૈત=શાન સિવાય બીજું નહિ) કેવળ જ્ઞાનનયમાં જ; દૃષ્ટિ:=દૃષ્ટિ; તૈયા=આપવા યોગ્ય;તત્=તેથી; યોગસિદ્ઘયે=યોગની સિદ્ધિ માટે.] અનુવાદઃ પૂર્ણ વિરતિમય ચારિત્ર એ ખરેખર જ્ઞાનનો જ ઉત્કર્ષ છે. તેથી યોગની સિદ્ધિને માટે ફક્ત જ્ઞાનનયને વિશે દૃષ્ટિ દેવી. (૧૨) વિશેષાર્થ : હવે શ્લોકો ૨૬૧ થી ૨૬૮ સુધીમાં ઉપાધ્યાયજી મહારાજે ‘જ્ઞાનસાર’ની મુનિજીવનમાં મહત્તા દર્શાવી છે. જ્ઞાનસારને પામેલા મુનિઓની બાહ્ય ભૌતિક ઇચ્છાઓ-એષણાઓ શાંત થઈ જાય છે. લૌકિક કોઈ વસ્તુનો મહિમા હવે એમના અંતરમાં રહેતો નથી. ભગવાનનાં વચનોથી તેમનું અંતર એટલું બધું આર્દ્ર થઈ ગયું હોય છે કે મોહરૂપી તીવ્ર અગ્નિદાહ તેમને કશું કરી શકતો નથી. એક વખત જ્ઞાનસાર અનુસાર તેમના જીવનનો વિકાસ થવા લાગે તો પછી તેમનું ક્યારેય અધઃપતન થતું નથી. જ્ઞાનસારના અભ્યાસથી જ્ઞાન અને ક્રિયા વચ્ચેનો ભેદ સમજાય છે. જ્ઞાન અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy