________________
૧૩. મીનાષ્ટક
૧૮૧
૧૩. મૌનાષ્ટક [૯૭] મચતે યો નઃત્તિત્ત્વ સમુનિ પરિવર્તિતઃ |
સવમેવ તૌને મૌનં સમેત્ત્વમેવ વા | શરૂ | ૨ ||. [શબ્દાર્થઃ મતે=જાણે છે; =જે; નવં=જગતના સ્વરૂપને; :=: મુનિ =મુનિ; પરિકીર્તિત =કહેલ છે; સગવં=સમ્યકત્વ; =જ; ત તેથી; મૌનં=મુનિપણું; વી=અથવા, અને.]
અનુવાદ-જે જગતના તત્ત્વ (સ્વરૂપ)ને જાણે છે તેને મુનિ' કહેલ છે. એથી સમ્યકત્વ એ જ મુનિપણું છે અને મુનિપણું એ જ સમ્યકત્વ છે. (૧)
વિશેષાર્થ આ અષ્ટકનું નામ “મોન અષ્ટક' છે. મૌનનો આપણે વ્યવહારમાં સાદો, સામાન્ય અર્થ કરીએ છીએ “ન બોલવું'. વાણીનું મૌન ઘણા પાળે છે. અહીં મુનિને માટે મૌનની વિચારણા કરવામાં આવી છે. મુનિને માટેનું મૌન અહીં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં કહ્યું છે. એક વ્યુત્પત્તિ પ્રમાણે “મૌન' શબ્દ મુનિ' શબ્દ પરથી આવ્યો છે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક ઉપર પોતે લખેલી ટીકામાં આચારાંગસૂત્ર'નો આધાર લઈ નીચે પ્રમાણે અર્થ આપ્યો છેઃ जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । [જે સમ્યકત્વ છે તે જ મુનિપણું છે, જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે.] અષ્ટકના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિમાં જ “મુનિ' શબ્દની વિશિષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છેઃ મન્યતે યો નર્વસ મુનિ: પરિજીતંત:. એટલે કે જગતના તત્ત્વને જે જાણે છે તે મુનિ છે. અહીં મુનિ માટે આદર્શ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org