________________
૨૭૬
Sાનસાર
૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક [૧૬૧] દુર્વ પ્રાપ્ય નલીન: યા સુd પ્રાપ્ય ર વિમિત: 1
मुनिः कर्मविपाकस्य जानन परवशं जगत् ।।२१।।१।। [શબ્દાર્થ દુવં=દુઃખને; પ્રાપ્ય=પામીને; ન=નહિ; વીન:=દીન; =થાય; સુરë સુખને; પ્રાપ્ય પામીને; વ અને; વિમિત:=વિસ્મયયુક્ત, આશ્ચર્યચકિત; મુનિ:=સાધુ; વિપશ્ય કર્મના વિપાકને; નાનન=જાણતાં; પરવશ=પરવશ, પરાધીન; ન*=જગતને.]
અનુવાદઃ કર્મના વિપાકને, પરવશ થયેલા જગતને જાણતા મુનિ દુઃખ પામીને દીન ન થાય અને સુખ પામીને વિસ્મયવાળા ન થાય. (૧)
વિશેષાર્થ: કર્મસત્તા આગળ કોઈનું કશું ચાલતું નથી. કર્મના વિપાક વખતે, સમગ્ર જગત પરવશ, પરાધીન બની જાય છે. ઘોર નિકાચિત કર્મોનો ઉદય હોય ત્યારે તે કર્મો તીર્થકર ભગવાનના જીવને પણ ભોગવવાં જ પડે છે. કોઈ વ્યક્તિ ભલે તે મોટા રાજા હોય, રાષ્ટ્રપ્રમુખ હોય કે વડાપ્રધાન હોય તો તેથી એને પેટમાં ન દુઃખે એવું નથી, એનું મૃત્યુ ન થાય એવું નથી.
સંસારમાં જન્મમરણની ક્રિયા સતત ચાલતી રહે છે. એક ક્ષણ એવી નથી કે જ્યારે કોઈક જીવોનું મૃત્યુ ન થયું હોય અને બીજી બાજુ કોઈ નવા જીવોનો જન્મ ન થયો હોય. એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધી આ ઘટના નિરંતર નિહાળવા મળે છે. જન્મનો આનંદોત્સવ થાય છે. અને મૃત્યુ દુઃખદાયક મનાય છે.
મુનિ ભગવંતો સંસારનું અવલોકન કરે છે ત્યારે તેમને એમાં કેટલું બધું વૈચિત્ર્ય દેખાય છે. સંસારનું સ્વરૂપ અકળ છે. સંસારમાં કોઈ જન્માંધ હોય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org