________________
૨૦. સર્વસમૃદ્ધિ અષ્ટક
૨ ૭૫
પૃથ્વી ઉપર વહીને, પાતાલમાં જાય છે. એટલે એને ત્રિપથગા કહેવામાં આવે છે. એ જ્યાં જાય ત્યાં લોકોને પવિત્ર કરે છે. એના પવિત્ર જળમાં સ્નાન કરવું, એના સંગમસ્થળે સ્નાન કરવું અત્યંત પવિત્ર મનાય છે. એનું પાણી ઔષધ જેવું ગણાય છે. કહેવાય છે કે મૌષધું નહિવતોડ્યું .
જેમ ગંગા ત્રણ પ્રવાહ વડે અત્યંત પવિત્ર મનાય છે તેમ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રરૂપી ત્રણ પ્રવાહ વડે પવિત્ર એવી અધ્યાત્મજગતમાં સર્વોચ્ચ પરમાત્માની પદવી એ અરિહંત પરમાત્માની પદવી છે. મુનિ મહારાજે પોતાની અંતરંગ સમૃદ્ધિનું સર્વોચ્ચ લક્ષ અરિહંત પરમાત્માની પદવીનું રાખવાનું છે. સિદ્ધિયોગવાળા સાધુને માટે તે દૂર નથી, કારણ કે સિદ્ધયોગીને તીર્થંકરપણું દૂર નથી.
આમ મુનિ મહારાજ પાસે વિશ્વની સર્વોચ્ચ પ્રકારની સૂક્ષ્મ સંપત્તિ છે. એ સમૃદ્ધિની તોલે જગતની કોઈ પણ ભૌતિક સમૃદ્ધિ આવી શકે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org