SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨ ૭૭ કોઈ બહેરો મૂંગો હોય છે, કોઈ મૂર્ખ તો કોઈ બુદ્ધિશાળી હોય છે, કોઈ દેખાવડો, તેજસ્વી હોય છે, તો કોઈ કદરૂપો, બિહામણો હોય છે. કોઈ ક્રોધી, કોઈ શાંત, કોઈ ચોર, કોઈ પ્રામાણિક, કોઈ ધર્મમાં શ્રદ્ધાવાળો, તો કોઈ નાસ્તિક, કોઈ કૂર, તો કોઈ દયાળુ, કોઈના જીવનમાં સતત વિઘ્નો આવે છે તો કોઈને બધી અનુકૂળતા રહે છે, કોઈ પહેલાં સુખી અને પછી અત્યંત દુઃખી, તો કોઈ પહેલાં દુઃખી અને પછી અત્યંત સુખી થાય છે, કોઈને અજાણ્યા માણસો પણ પ્રેમ આપે છે અને કોઈને સંતાનો દુઃખ આપે છે–આમ સંસાર કેટલી બધી અસમાનતા, વિચિત્રતા, વિષમતા ઇત્યાદિથી ભરેલો છે ! બાંધેલાં કર્મોનો પરિપાક થતાં, ઉદયમાં આવતાં કોઈને હર્ષોલ્લાસ થાય છે, તો કોઈને ત્યાં રોકકળ થાય છે. આમ કર્મોના વિપાકને કારણે જુદા જુદા જીવોની જુદી જુદી દશા જોઈને મુનિ પોતે સમતા, સમભાવ ધારણ કરે છે. જીવો પ્રત્યે એમને અનુકંપા થાય છે. કર્મવિપાક વિશે ચિંતન, અનુપ્રેક્ષા કરતાં કરતાં તેઓ આત્મસ્વરૂપના ચિંતન તરફ વળે છે. કર્મો આઠ પ્રકારનાં કહ્યાં છેઃ (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામ કર્મ, (૭) ગોત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ આ આઠે કર્મોની ઉત્તર પ્રકૃતિ છે એટલે કે એના પેટા વિભાગ પણ છે. કર્મ કેવી રીતે બંધાય છે, એની કેટલી તીવ્રતા હોય છે, કેટલી વાર સત્તામાં પડ્યું રહે છે, ક્યારે તેનો ઉદય થાય છે વગેરે વિશે કર્મગ્રંથોમાં તાત્ત્વિક અને ગહન વિચારણા થયેલી છે. કર્મો એટલે કાશ્મણ વર્ગણાનાં પુગલ પરમાણુઓ પ્રત્યક્ષ દેખાતાં નથી, પરંતુ સર્વજ્ઞોને તે પ્રત્યક્ષ છે. અનુમાનથી તે સમજી શકાય છે. સંસારમાં સુખદુઃખનું કારણ તે કર્મ છે. એમ છતાં એ કારણે એકને સુખ આપે અને બીજાને દુઃખ આપે એમ બની શકે છે. વિશેષ આવશ્યક ભાષ્ય' (ગાથા ૧૬ ૧૫–૧૬૧૬)માં કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy