SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પણ દોર્યું છે. વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓના આચરણો, ભ્રમભર્યા વિચારો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈપણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો શ્રી યશોવિજયજીએ સમ્યકત્વના સડસઠ બોલની સક્ઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સક્ઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યોગદષ્ટિની સઝાય, સુગુરુની સઝાય, પાંચ કુગુરુની સક્ઝાય (નાની મોટી), જિન પ્રતિમા સ્થાન સક્ઝાય, અમૃતવેલની સઝાય (નાની તથા મોટી), ચાર આહારની સક્ઝાય, સંયમ શ્રેણિવિચાર સક્ઝાય, ગુણસ્થાનક સઝાય ઇત્યાદિ સક્ઝાયોની રચના કરી છે. સક્ઝાયનો (સ્વાધ્યાયનો) રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સક્ઝાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યકત્વના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સક્ઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિંતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓ, ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ, બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં “સમુદ્ર વહાણ સંવાદ', “સમતાશતક', “સમાધિશતક”, “પંચ પરમેષ્ઠિ ગીતા”, “સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ', “જંબૂસ્વામી બ્રહ્મગીત', દિકપટ ચોરાશી બોલ', “યતિધર્મ 49 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy