________________
બત્રીસી', “આનંદઘન અષ્ટપદી', “જસવિલાસ' (આધ્યાત્મિક પદો), “ઉપદેશમાલા', “અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો', “તત્ત્વાર્થ સૂત્રનો ટબો', વિચારબિંદુ અને તેનો ટબો', “શઠ-પ્રકરણ બાલાવબોધ', “લોકનાલિ બાલાવબોધ', “જેસલમેરના પત્રો', “સાધુવંદના”, “ગણધર ભાસ', “નેમ રાજુલનાં ગીતો' ઇત્યાદિ છે.
સમુદ્રવહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે.
“સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિની વિચારણા કરવામાં આવી છે. કૃતિનો આરંભ કરતાં કવિ લખે છે :
સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત,
ચિદાનંદ જયવંત હોય, કેવલ ભાનુ પ્રભાત. ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ લખે છે :
સિદ્ધ ઓષધિ ઈક ક્ષમા, તાકો કરો પ્રયોગ;
જ્યુ મિટ જાયે મોહધર, વિષય ક્રોધ જવર રોગ. ક્ષમા ચંદન રસે, સિંચો ચિત્ત પવિત્ત.
દયાવેલ મંડપ તલે, રહો હો સુખ મિત્ત. સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોને કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદૃષ્ટિ બહિરાત્મભાવમાંથી નીકળવા
50
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org