________________
૩૫ ૨
જ્ઞાનસાર
[૨૦] પશ્યન્ત દ્રા નિનિર્વાનુમવં વિના .
कथं लिपिमयी दृष्टिर्वाङ्मयी वा मनोमयी ।।२६।।६।। [શબ્દાર્થ પશ્યન્તુ જુએ, દેખે; બ્રહ્મ=બ્રહ્મ, આત્મસ્વરૂપ; નિન્દ્ર=દ્વન્દરહિત, પરભાવના ઉપયોગ રહિત, શુદ્ધ, નિર્બન્દાનુભવં નિર્દન્દ્ર અનુભવ, રાગદ્વેષાદિથી રહિત અનુભવ વિના=વિના, વગર, થં=કેમ; નિપિયી લિપિયુક્ત, વૃષ્ટિ=દષ્ટિ; વાથી વાણીરૂપ; વી=અથવા; મનોમયી=મનનરૂપ, અર્થના જ્ઞાનરૂપ.]
અનુવાદઃ ફ્લેશરહિત આત્માને ક્લેશરહિત અનુભવ વિના લિપિમથી, વાલ્મથી કે મનોમયી દષ્ટિ શી રીતે જોઈ શકે ? (૬).
વિશેષાર્થ : કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે નજરે જોઈ શકાય છે. કેટલીક એવી હોય છે કે નજરે દેખાતી નથી. આખી રાત દૂધ સામે તાકીને બેસી રહીએ તો પણ દૂધમાંથી દહીં ક્યારે, કેવી રીતે થયું તે જોવા મળતું નથી. વ્યવહાર જગતમાં આવી તો બીજી અનેક ઘટનાઓ છે.
આધ્યાત્મિક જગતમાં આત્મા (બ્રહ્મ)ના અસ્તિત્વની આપણને ખબર છે. તે વિશે આપણે વાંચ્યું હોય છે. પણ ખરેખર આત્માનું દર્શન આપણને થયું હોતું નથી. આત્માનો અનુભવ કરવા માટે ઊંડી સાધનાની જરૂર પડે.
અહીં ત્રણ પ્રકારની દૃષ્ટિની વાત કરી છેઃ (૧) લિપિમયી દૃષ્ટિ (૨) વાલ્મયી દૃષ્ટિ અને (૩) મનોમયી દૃષ્ટિ. આ ત્રણે પ્રકારની દૃષ્ટિથી શુદ્ધ બ્રહ્મનો અનુભવ થતો નથી. 1 લિપિ એટલે અક્ષરના સંકેતરૂપી સંજ્ઞા. લિપિમયી દૃષ્ટિ એટલે અક્ષર, શબ્દ અને વાક્યરૂપી દષ્ટિ. કશુંક વાંચી-સમજી શકાય એવી દૃષ્ટિ.
વાલ્મયી દૃષ્ટિ એટલે વાણીરૂપ દૃષ્ટિ, વ્યંજનાક્ષરરૂપી દષ્ટિ. અક્ષરો-શબ્દોના ઉચ્ચારણથી કશુંક સમજાય છે. કંઈક ઉપદેશ મળે છે. તત્ત્વવિચારણા થઈ શકે છે. મનોમયી દષ્ટિ એટલે અર્થના પરિજ્ઞાનરૂપ દષ્ટિ, અર્થનું ચિંતન કરવાની શક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org