________________
૨૬. અનુભવાષ્ટક
૩૫૩
લિપિમયી, વામણી અને મનોમયી દૃષ્ટિ–આ ત્રણે દૃષ્ટિનો શાસ્ત્રમય દૃષ્ટિમાં સમાવેશ થાય છે. શાસ્ત્રના અભ્યાસથી આત્માના અસ્તિત્વ વિશે, આત્માના સ્વરૂપ વિશે, આત્માના ગુણલક્ષણો વિશે સમજ પડે છે. પરંતુ એથી આત્મસ્વરૂપનો અનુભવ ન થાય. એ માટે તો જરૂર છે અનુભવજ્ઞાનની. આ અનુભવજ્ઞાનથી આત્મદર્શન, (બ્રહ્મદર્શન) થાય છે.
લિપિમયી, વાડુમયી અને મનોમયી દૃષ્ટિથી બ્રહ્મદર્શન ન થાય એ તો સ્પષ્ટ છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આ ત્રણે દૃષ્ટિ નિરર્થક છે. વસ્તુતઃ આ ત્રણે દૃષ્ટિ નિર્દ% અર્થાત્ રાગદ્વેષાદિ દ્વન્દ્રથી રહિત બ્રહ્મનું એટલે કે આત્માનું દર્શન કરવામાં આરંભની ભૂમિકાનું કામ કરે છે. [૨૦] સુપુતિમોહત્યાના ૨ સ્થાપના
कल्पनाशिल्प विश्रान्तेस्तुर्यैवानुभवो दशा ।।२६।।७।। [શબ્દાર્થ : ન=નથી; સુપુતિ=ગાઢ નિદ્રા; મમોહત્વા=અમોહથી, મોહરહિત હોવાથી; ન નથી; આપ પણ; =અને; વા૫ના રૌ=સ્વપ્નદશા અને જાગ્રત દશા; ના-શિલ્પવિત્રાન્ત =કલ્પનારૂપી શિલ્ય (કારીગરી)ની વિશ્રાન્તિ (અભાવ) હોવાથી; તુર્થી=ચોથી; પવ=જ; અનુમવ:=અનુભવ; શ=દશા, અવસ્થા.]
અનુવાદઃ અનુભવ મોહરહિત હોવાથી સુષુપ્તિદશા નથી. વળી તે સ્વપ્નદશા કે જાગ્રત દશા પણ નથી. કલ્પનારૂપી શિલ્પ (કારીગરી)નો અભાવ હોવાથી તે ચોથી દશા છે. (૭)
વિશેષાર્થ: આત્મસ્વરૂપમાં રમણતા કરનારા મહાત્માઓની અનુભવદશા કેવી હોય તે વિશે અહીં વિશેષ ખુલાસો કરવામાં આવ્યો છે. આવા ધ્યાનમાં સાધકો જેમ જેમ ઊંચે ચડતાં જાય છે તેમ તેમ એની દશામાં વિકાસ થતો જાય છે.
આપણા “નયચક્ર', “યોગવિંશતિકા' વગેરે શાસ્ત્રગ્રંથોમાં ચાર મુખ્ય દશા બતાવવામાં આવી છેઃ (૧) સુષુપ્તિદશા, (૨) સ્વપ્નદશા, (૩) જાગૃતદશા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org