________________
૩૫૪
જ્ઞાનસાર
(૪) ઉજાગર દશા. તો અનુભવદશા કેવી છે ?
(૧) આ અનુભવદશા એ સુષુપ્તિદશા નથી. સુષુપ્તિ દશા મોહનિદ્રાથી ભ્રમિત ચિત્તવાળા મિથ્યાદૃષ્ટિને હોય છે.
(૨) આ અનુભવદશા એ સ્વપ્નદશા નથી, કારણ કે સ્વપ્નદશા સમ્યગ્દષ્ટિને હોય છે તો પણ એ દશા કલ્પનાસહિત હોય છે.
(૩) આ અનુભવદશા એ જાગૃત દશા પણ નથી, કારણ કે જાગૃતદશા પણ કલ્પનાસહિત છે.
(૪) અનુભવદશા એ ચોથી ઉજાગરદશા છે. એમાં કલ્પનારૂપ શિલ્યનો અભાવ છે. આ દશા સયોગી કેવળીને હોય છે. [૨૦૮] ઉત્યિારિત્ન શત શાસ્ત્રદા મુનિ:
વસંવેદ્ય પરં બ્રહનુમવેનાથીતિ ગોર દાદા [શબ્દાર્થ ઃ મધમા=જાણીને; મહાતં=સકળ; શબ્દબ્રહા=શબ્દબ્રહ્મને; શાસ્ત્રદા=શાસ્ત્રરૂપી દષ્ટિ વડે; મુનિ =મુનિ, સ્વસંવેદં=વસંવેદ્ય, સ્વરૂપાનુભવરૂપ, સ્વપ્રકાશરૂપ; પરં દ્રા=પરમ બ્રહ્મ, પરમાત્મા; અનુભવેન અનુભવ વડે; ધચ્છતિ જાણે છે.]
અનુવાદ: મુનિ શાસ્ત્રરૂપી દષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનુભવ વડે સ્વપ્રકાશરૂપ એવા પરબ્રહ્મનેપરમાત્માને વિશુદ્ધ આત્માને) જાણે છે. (૮) વિશેષાર્થ આત્માનો અનુભવ મેળવતાં પહેલાં શાસ્ત્રના અભ્યાસની જરૂર છે એ વાત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મુનિની વાત કરવામાં આવી છે. મુનિઓએ ગૃહજીવનનો ત્યાગ કરી પંચમહાવ્રત સ્વીકાર્યા છે. એટલે મુનિ પાસે સમયાવકાશ સારો રહે છે. તેઓએ પ્રારંભમાં શાસ્ત્રાભ્યાસ કરવો જોઇએ, કારણ કે શાસ્ત્રો એ તો પૂર્વાચાર્યોએ આપેલું નવનીત છે. આ શાસ્ત્રાભ્યાસ માત્ર પોતાના ધર્મનો જ નહિ, અન્ય ધર્મોનો અને દર્શનોનો પણ કરવો જોઇએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org