________________
૨૬. અનુભવાષ્ટક
૩૫ ૫
કે જેથી સકલ શબ્દબ્રહ્મનું જ્ઞાન થાય, પોતાની દૃષ્ટિ ખૂલે અને ધર્મના શ્રોતાવર્ગની શંકાઓનું સમાધાન પણ કરાવી શકે. એટલા માટે કહ્યું છેઃ
ससमयं जाणेइ, परसमयं जाणेइ,
ससमयं परसमयं जाणित्ता अप्पाणं भाविता भवइ। સ્વિસમય એટલે સ્વદર્શનને જાણે છે, પરદર્શનને જાણે છે, સ્વદર્શનને અને પરદર્શનને જાણીને આત્માની ભાવના કરે છે.]
આપણને પ્રશ્ન થાય કે અન્ય દર્શનના ગ્રંથો શા માટે વાંચવા જોઈએ ? કારણ કે એ વાંચવાથી જ પોતાના દર્શન અને અન્યના દર્શન વચ્ચેનું તારતમ્ય સમજાય છે, અને તે તે દર્શનમાં જે ફરક છે તે શા માટે છે તથા આપણા દર્શનની શી વિશિષ્ટતા છે તથા પરદર્શનના ગ્રંથોમાં ક્યાં અને શા માટે ત્રુટિઓ છે તેની સમજણ પ્રાપ્ત થાય. એથી પોતાની દૃષ્ટિ વ્યાપક બને છે. અન્ય દર્શનો પ્રત્યે પૂર્વગ્રહ નહિ પણ સમભાવ રહે છે. અહીં પોતાની શાસ્ત્રદષ્ટિ વડે અખિલ શબ્દબ્રહ્મને જાણવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
કેટલાકની એવી ભૂલભરેલી માન્યતા હોય છે કે ધ્યાન દ્વારા આત્માનો અનુભવ કરી લઈએ એટલે બસ. શાસ્ત્રાભ્યાસ કરવાની જરૂર શી ? શાસ્ત્રાભ્યાસ કરીને પણ જો આત્માના અનુભવ પર આવવાનું હોય તો પહેલેથી જ આત્માનો અનુભવ કેમ ન કરીએ કે જેથી શાસ્ત્રાભ્યાસનો સમય બચે. પણ યાદ રાખવું જોઈએ કે શાસ્ત્ર-શ્રુત એ પણ એક પ્રકારનાં ચક્ષુ છે. શાસ્ત્રાભ્યાસ વિના જો સીધો અનુભવ કરવા ગયા તો તે અનુભવ સાચો છે કે ભ્રમ છે એની ખબર નહિ પડે. શાસ્ત્રાભ્યાસ તાળો મેળવવા અને માર્ગદર્શન મેળવવા માટે ઉપયોગી જ નહિ, અનિવાર્ય છે. સરુ શાસ્ત્રાભ્યાસ કરાવીને એમાંથી અનુભવની ચાવી બતાવે છે. એટલા માટે શાસ્ત્રોનું અધ્યયન, મનન ચિંતન, પરિશીલન કરવું જોઇએ.
શાસ્ત્રો પ્રત્યે સૂગ નહિ પણ સદ્ભાવ, પ્રેમભાવ, બહુમાન ઇત્યાદિ હોવાં જોઈએ. ગણધર ભગવંતોએ તીર્થંકર પરમાત્માની વાણીને શબ્દમાં ગૂંથી લઈને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. વળી એના ઉપર ટીકા, ભાષ્ય, ચૂર્ણ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org