________________
૩૫૬
જ્ઞાનસાર
ઇત્યાદિ રચીને તથા પ્રકરણગ્રંથો રચીને પૂર્વાચાર્યોએ મહાન વારસો આપણને આપ્યો છે. એ પ્રત્યે કૃતજ્ઞતાના અને બહુમાનના ભાવ વિના સીધો સ્વરૂપાનુભવમાં કૂદકો મારવાં જઈએ તો પછડાઈએ એટલું યાદ રાખવું જોઈએ.
એક વખત શાસ્ત્રદૃષ્ટિ ખૂલે તો પછી જીવનની પ્રત્યેક ઘટનાને યથાર્થ આધ્યાત્મિક રીતે ધટાવતાં આવડશે. પછી કોઈના દોષ દોષ તરીકે દેખાતા નથી. એમાં પોતાનાં જ અશુભ કર્મનો ઉદય દેખાય છે. શાસ્ત્રદૃષ્ટિ આપણને તત્ત્વદૃષ્ટિ આપે છે જે સ્વરૂપાનુભવમાં બહુ ઉપયોગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org