________________
૨૬. અનુભવાષ્ટક
૩ ૫ ૧
શાસ્ત્રક્ષીરાનાદિની શાસ્ત્રરૂપી ક્ષીરમાં પ્રવેશ કરનારી; વિરતા =વિરલા, થોડા; તeતેના, શાસ્ત્રના; રસાસ્ત્રી કરસનો આસ્વાદ; વિદ્ર =જાણનારા; અનુમનિવય અનુભવરૂપી જીભ વડે.]
અનુવાદ કોની કલ્પનારૂપી કડછી શાસ્ત્રરૂપી શીરામાં પ્રવેશ કરનારી નથી? પરંતુ અનુભવરૂપી જીભ વડે તેનો રસાસ્વાદ જાણનારા વિરલ છે. (૫)
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ ઘરગથ્થુ રૂપક પ્રયોજીને શાસ્ત્રમાં નિરૂપાયેલા પદાર્થ વિશે કેવળ તર્ક અને કલ્પનાશક્તિ કરતાં એ દ્વારા થતો અનુભવ કેટલો શ્રેષ્ઠ છે તે દર્શાવ્યું છે.
અહીં શાસ્ત્રને માટે ખીરનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. તર્ક અને કલ્પના માટે કડછીનું રૂપક આપ્યું છે અને અનુભવ માટે જીભનું રૂપક છે.
ચૂલા ઉપર ખીર બનાવાતી હોય તો તે હલાવવા માટે અને ત્યાર પછી પીરસવા માટે કડછીની જરૂર છે. કડછી ન હોય તો ખીર દાઝી જાય અને બગડી જાય. એટલે કડછીની ઉપયોગિતા પૂરેપૂરી છે. એવી રીતે શાસ્ત્રાભ્યાસમાં તર્ક અને કલ્પનાશક્તિ જોઈએ. એ ન હોય તો શાસ્ત્રના અર્થો સ્પષ્ટ થાય નહિ. અવબોધ પણ બરાબર ન થાય. પરંતુ કડછી ખીરમાં ઘણો વખત રહેવા છતાં ખીરનો સ્વાદ જાણતી નથી. એ પ્રમાણે અધ્યાત્મના ક્ષેત્રે પદાર્થો બરાબર સમજી લીધા એટલું બસ નથી. એ પ્રમાણે અનુભવ પણ થાય તો જ એ ક્ષેત્રમાં પ્રગતિ થાય. માત્ર જાણકારી પૂરતી નથી. તેનો અનુભવ પણ જોઈએ. ખીર તૈયાર થઈ જાય એટલું બસ નથી. જીભ વડે એનો રસાસ્વાદ પણ માણવો જોઈએ. અહીં અનુભવ જીભ છે. શાસ્ત્રજ્ઞાન એ બાહ્ય અંગ છે અને અનુભવ એ અંતરંગ છે. શાસ્ત્રાભ્યાસ કરનારા ઘણા હોય છે. પણ તે પ્રમાણે સાધના કરી અનુભવ લેનારા ઓછા હોય છે.
કેટલાક માત્ર આત્માના અનુભવની વાત કરીને શાસ્ત્રોનો, શાસ્ત્રાભ્યાસનો નિષેધ, અવજ્ઞા કે અવહેલના કરે છે. પરંતુ તે યોગ્ય નથી. જીવને અનુભવ વિશે માર્ગદર્શન આપવાનું કાર્ય શાસ્ત્રો કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org