________________
४४४
જ્ઞાનસાર
સમતો:=સમતારૂપી પાણી વડે; અથ ત્યાર પછી; પથિ=પથમાં, માર્ગમાં; ચતા:=મૂકી છે; વિવેત્સન:=વિવેકરૂપી ફૂલની માળાઓ; અધ્યાત્મામૃત= અધ્યાત્મરૂપી અમૃત; પૂર્ણ=પૂર્ણ, ભરેલો; મલશ:=કામકળશ, કામકુંભ, ઇચ્છા પૂરી કરનાર કુંભ; વો મૂક્યો છે; મંત્ર=આ, અહીં; à=શાસ્ત્રમાં; પુર:=આગળ; પૂર્વીનન્વયનેકપૂર્ણાનંદથી ભરપૂર; પુર=નગરમાં પ્રવિતિ=પ્રવેશ કરે છે; સ્વયં પોતાનું; d=કર્યું છે; મંતંત્રમંગલ.]
અનુવાદઃ આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ, પવિત્ર છાણના રસથી લીંપેલી, સમતારૂપી પાણી વડે ચારેબાજુ છાંટેલી ભૂમિ છે. માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ ગોઠવેલી છે. અધ્યાત્મઅમૃતરૂપી કામકુંભ આગળ મૂક્યો છે. એવા પૂર્ણાનંદઘન નગરમાં આત્મા પ્રવેશ કરે છે ત્યારે જાણે એણે પોતે જ મંગળની રચના કરી હોય એમ લાગે છે. (૧૫)
વિશેષાર્થ: આ ત્રણ શ્લોક (૨૭૦, ૨૭૧ અને ૨૭૨) માં ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારની મહત્તા દર્શાવી છે. અહીં જ્ઞાનસાર એટલે પોતાનો ગ્રંથ નહિ, પણ અધ્યાત્મમાર્ગમાં ઉત્કૃષ્ટ જ્ઞાનની અનિવાર્યતા). સંસારમાં મોટા ભાગના લોકોનું જીવન વિષયરૂપી વરથી ઘેરાયેલું છે. કેટલાક લોકો અજ્ઞાનરૂપી કૂવામાં પડેલા છે. કેટલાક બુદ્ધિશાળી છે, પણ તેઓ કુતર્કથી મૂચ્છિત છે. કેટલાકને દંભી વૈરાગ્યરૂપી હડકવા લાગ્યો છે. પરંતુ જ્યાં અધ્યાત્મની રુચિ છે, જ્ઞાનનો પ્રકાશ છે, ચારિત્રરૂપી લક્ષ્મી છે, વિવેકરૂપી પુષ્પની માળાઓ છે ત્યાં જાણે કે મોટો ઉત્સવ થઈ રહ્યો છે.
જ્યાં જ્ઞાનની આવી દિવ્યતાનું વાતાવરણ હોય ત્યાં પૂર્ણાનંદઘન એવો આત્મા ચારિત્રરૂપી લક્ષ્મી સાથે પાણિગ્રહણ કરી મોક્ષનગરીમાં પ્રવેશ કરે છે. [૨૭૩] છે શ્રીવિનયવિવેવસુરો સ્વચ્છ ગુનાં જળ:
प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org