________________
૨૪. શાસ્ત્રાષ્ટક
૩ ૨.૧
વિશેષાર્થ : સંસ્કૃત ભાષામાં પ્રત્યેક સ્વર અને વ્યંજનના એક કરતાં વધારે અર્થ થાય છે. ઘણા શબ્દોના પણ એક કરતાં વધુ અર્થ થાય છે, એટલું જ નહિ શબ્દોના પરસ્પર સંયોજનથી નવા શબ્દો બનાવી શકાય છે.
શબ્દના અક્ષરોમાંથી નિષ્પન્ન થતો અર્થ એ યોગિક અર્થ કહેવાય છે. એવો અર્થ વ્યુત્પન્ન કરવામાં આવે છે એટલે કે શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરવામાં આવે છે. શબ્દના આવા વ્યુત્પન્ન અર્થો ઉપરાંત રૂઢ થયેલા અર્થ હોય છે અને એના લાક્ષણિક અર્થ પણ કરવામાં આવે છે.
સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહીં શાસ્ત્ર' શબ્દનો વ્યુત્પત્તિસૂચક અર્થ આપ્યો છે. શાસનાક્ એટલે શાસન-અનુશાસન કરવાથી, હિતોપદેશ કરવાથી એવો અર્થ થાય. ત્રાપા એટલે રક્ષણ. ત્રાણ શક્તિથી એટલે સર્વ જીવોને રક્ષણ આપવાની શક્તિ-સામર્થ્યથી. આમ શાસન + ત્રાપા ઉપરથી, એટલે કે શમ્ + ઉપરથી શાસ્ત્ર શબ્દ બન્યો છે.
આમ બે શબ્દ ભેગા મળીને શાસ્ત્ર' શબ્દ બન્યો ત્યારે એ શબ્દ વળી નવો અર્થ ધારણ કર્યો., શાસ્ત્ર એટલે આપ્તવચન, સર્વજ્ઞવચન, વીતરાગવચન એટલે કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં, વાચક ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ” ગ્રંથમાંથી આધાર આપતાં નીચેનો શ્લોક ટાંક્યો છેઃ
शासनसामर्थ्येन च संत्राणवलेनानवद्येन।
युक्तं यत् तच्छास्रं तच्चैतत् सर्वविद्वचनम् ॥ [હિતશિક્ષા આપવાના સામર્થ્યથી અને નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.]
આમ, શાસ્ત્રવચન એટલે સર્વ જીવનું હિત કરે એવું વચન અને સર્વજીવનું રક્ષણ કરે એવું વચન. જીવોના હિતની ભાવના એટલે ઠેઠ મોક્ષ સુધી પહોંચાડવાની ભાવના અને રક્ષણ એટલે સૂક્ષ્મ એકેન્દ્રિયથી માંડીને સર્વજીવો પ્રત્યે દયા, અહિંસાની ભાવના. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org