SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ જ્ઞાનસાર સામાન્ય પ્રકારનું છે અને તે પણ દરેકને પોતાનાં કર્મોના તેવા પ્રકારનાં ક્ષયોપશમ અનુસાર થાય છે. જ્ઞાની મહાત્માઓ શાસ્ત્રોનો જ્યારે નિરંતર અભ્યાસ કરતા રહે છે ત્યારે ચોદ રાજલોકમાં સિદ્ધશિલા ક્યાં આવી, અમુક દેવલોક ક્યાં આવ્યો, ત્યાંના દેવો કેવા છે, મનુષ્યલોક કેવો છે, નીચે ભુવનપતિ અને વ્યંતર દેવલોક કેવા છે તથા એની નીચે નરકલોક કેવો છે ઇત્યાદિનો એવો સઘન અને સરસ અભ્યાસ થાય કે પછી એમને કોઈ ગ્રંથમાં જોવું ન પડે. તેમનું ચિત્ત આ બધી વાતોથી એવું સરસ ભાવિત થઈ જાય કે પછી એમને શાસ્ત્રચક્ષુ ખૂલે છે. એમનો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ એટલી ઊંચી કોટિનો હોય છે કે માનસ અચક્ષુદર્શનથી તેઓને ચૌદ રાજલોકનું બધું નજર સન્મુખ હોય એમ દેખાય છે. અલબત્ત, એટલું લક્ષમાં રાખવું જોઇએ કે શાસ્ત્રચક્ષુ ખૂલવાથી જ્ઞાની મહાત્માને ચૌદ રાજલોકમાં પદાર્થો જાણે કે નજર સમક્ષ હોય એમ દેખાય છે. પરંતુ એ લગભગ કેવળજ્ઞાન જેવું છે એવું માનવાની ભૂલ ન થવી જોઇએ. કેવળજ્ઞાન આના કરતાં અનંતગણું ચડિયાતું છે. [૧૮૭] શાસના ત્રાપજોશ વધૈ: શાસ્ત્ર નિરુચ્યતે | वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ।।२४।।३।। [શબ્દાર્થ ઃ શાસના=અનુશાસનથી, હિતોપદેશ કરવાથી; ત્રાણશક્તિ=રક્ષણ કરવાની શક્તિથી; પૈ=અને; વધે=પંડિતો વડે; શાસ્થંકશાસ્ત્ર શબ્દની; નિરુચ્યતે વ્યુત્પત્તિ કરાય છે; વવનં=વચન; વીતરી =વીતરાગનું; તત્ત્વ=તે તો; ન=નથી; અચસ્થ=બીજાનું; વચ્ચે =કોઈનું.] અનુવાદઃ હિતનો ઉપદેશ કરે અને રક્ષણ કરવાની શક્તિ ધરાવે તે શાસ્ત્ર એવી ‘શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ વિદ્વાનો દ્વારા કરાય છે. તે (શાસ્ત્ર) વીતરાગનું જ વચન છે, અન્ય કોઈનું નહિ. (૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy