________________
૨૪. શાસ્ત્રાષ્ટક
૩૧૯
ગૌતમસ્વામી દિવસ-રાતના આઠ પ્રહરમાંથી પાંચ પ્રહર સ્વાધ્યાય કરતા. એ જ પરંપરા માટે સાધુઓને હંમેશાં અનુરોધ થાય છે. આવા ગહન સ્વાધ્યાય દ્વારા શાસ્ત્રચક્ષુ ખૂલે છે. વાચના, પૃચ્છના, પરાવર્તના ઇત્યાદિ રૂપે આપણી શ્રુતપરંપરા ચાલી આવે છે. હવે તો છપાયેલા ગ્રંથોમાં બધું સુલભ હોવા છતાં કેટલાંયે સૂત્રો, સ્તોત્રો તથા અન્ય પ્રકારની ગાથાઓ ઇત્યાદિ ગુરુ મહારાજ શિષ્યોને કંઠસ્થ કરાવે છે. [૧૮] પુર:સ્થિતા વીર્વાદ–તિર્થન્ નો વિવર્તિનઃ |
સર્વાન્ ભાવીનવેક્ષને જ્ઞાનિન: શાસ્ત્રચક્ષુષા ૨૪ ા૨ા. [શબ્દાર્થ : પુર:સ્થિતાન રૂ સન્મુખ રહેલા હોય તેમ; ૩ધ્ધતિર્થ નોવિવર્તન:=ઊર્ધ્વ, અધો અને તિચ્છ લોકમાં પરિણામ પામતા; સર્વાન માવીન=સર્વ ભાવોને; મવેક્ષને=જુએ છે; જ્ઞાનિન =જ્ઞાની પુરુષો; શાસ્ત્રક્રુિષા=શાસ્ત્રરૂપી ચક્ષુથી.]
અનુવાદ: જ્ઞાનીઓ શાસ્ત્રરૂપી ચક્ષુ વડે ઉર્ધ્વ, અધો અને તિચ્છ લોકમાં પરિણામ પામતા સર્વ ભાવોને સન્મુખ હોય એમ દેખે છે. (૨)
વિશેષાર્થ : માણસની આંખો સારી હોય અને ખુલ્લી હોય ત્યારે નજર સામેના માણસો, પદાર્થો, દશ્યો ઇત્યાદિ એને સ્પષ્ટ દેખાય છે. તે વખતે થોડી વાર આંખો બંધ કરીને એનાં એ દશ્યો ઇત્યાદિને તે મનથી જોઈ શકે છે. ચક્ષુ વગરનું આ દર્શન છે, અચક્ષુદર્શન છે. પણ તે ચક્ષુદર્શનની તોલે ન આવે.
માણસે કોઈ મિત્રની સાથે વર્ષો પહેલાં પ્રવાસ કર્યો હોય અને બંને મળે અને યાદ કરે ત્યારે એ પ્રવાસનાં સંસ્મરણો તાજા થાય છે, ભલે આંખ ખુલ્લી હોય કે બંધ હોય.
માણસ એકલો બેઠો હોય અને આંખ બંધ કરીને પોતે ભારતમાં કે ભારત બહાર કરેલા પ્રવાસના પ્રસંગો નજર સમક્ષ તાજા કરી શકે છે. આવું અચશું દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org