________________
૧૮
જ્ઞાનસાર
સમયસારમાં કહ્યું છેઃ
आगमचक्खू साहू चम्मचक्खूणि सव्वभूयाणि।
देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू । [આગમ-ચક્ષુવાળા સાધુઓ છે, સર્વ પ્રાણીઓ ચર્મચક્ષુવાળાં છે, દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે અને સિદ્ધો સર્વતઃ ચક્ષુવાળા છે.}
દેવોને અવધિજ્ઞાન હોય છે. એટલે દેવોને અવધિ ચક્ષુવાળા કહેવામાં આવે છે. દરેક દેવની અવધિ જુદી જુદી હોય છે. વળી અવધિજ્ઞાન આત્મપ્રત્યક્ષ જ્ઞાન છે, પણ એ જ્ઞાનની મર્યાદા હોય છે કે તેનાથી ફક્ત રૂપી પદાર્થો જ દેખાય છે.
સિદ્ધ ભગવંતો અશરીરી હોય છે. એટલે તેમને ચર્મચક્ષુ હોય જ નહિ. પરંતુ તેઓને પોતાના કેવળદર્શન અને કેવળજ્ઞાનરૂપી ઉપયોગથી સર્વ આત્મપ્રદેશોથી ચૌદ રાજલોકરૂપી વિશ્વના ભૂત, વર્તમાન અને ભાવિ એવા સર્વ પર્યાયો યુગપ અર્થાત્ એકસાથે દેખાય છે.
મનુષ્યના ચર્મચક્ષુથી પરિમિત પ્રદેશના બાહ્યરૂપને જોઈ શકાય છે. પરંતુ ચર્મચક્ષુથી જોયેલું ચક્ષુની શક્તિ ઉપર આધાર રાખે છે. નજરે જોયેલું પણ ભ્રામક નીવડે છે. એકના એક પ્રસંગને જોનાર બે જુદી જુદી વ્યક્તિના દૃષ્ટિકોણમાં ફરક પડે છે.
સાધુ ભગવંતો પાસે ચર્મચક્ષુ તો હોય જ છે, પરંતુ સાથે શાસ્ત્રચક્ષુ પણ હોય છે. શાસ્ત્રો કેવળ કથિત હોવાથી તે ત્રણે કાળના અને ત્રણે લોકના રૂપી–અરૂપી પદાર્થો અને ભાવોને જણાવનાર હોવાથી એ અપેક્ષાએ અવધિજ્ઞાન કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.
શ્રી દેવચંદ્રજી મહારાજે આ શ્લોકના સંદર્ભમાં “શાસ્ત્ર' શબ્દની વ્યાખ્યા આપતાં કહ્યું છે. જેમાં એકાન્તિક અને આત્મત્તિક રાગદ્વેષાદિ કલેશરહિત, નિરામય (રોગરહિત) પરમાત્મપદનું સાધન સ્યાદ્વાદ પદ્ધતિએ ઉપદેશ કરવામાં આવેલું હોય તે શાસ્ત્ર.”
એટલા માટે સાધુઓ માટે શાસ્ત્ર-સ્વાધ્યાય ઉપર ઘણો ભાર મૂક્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org