SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૦૩ આ બધા પ્રકારમાં બે પ્રકાર મુખ્ય છે તે ભવલોક અને ભાવલોક. ચાર ગતિરૂપી સંસાર તે ભવલોક છે. એમાંથી મુક્ત થવાનું છે. ઓદયિક આદિ પરભાવમાં એકરૂપ બનવું તે ભાવલોક. આ ભાવલોક અપ્રશસ્ત છે. આ બંને પ્રકારનાં લોકની સંજ્ઞા સાધુમહાત્માઓએ ત્યજવા યોગ્ય છે. તેઓએ સાતે નયની અપેક્ષાએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ. ગૃહજીવનનો ત્યાગ કરી પંચમહાવ્રત ધારણ કરતાંની સાથે મુનિ મહારાજ, જો દીક્ષા સાચા ભાવથી લીધી હોય તો સીધા પ્રમત્ત સંયત એવા છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજે છે. આવું મુનિપણું સ્વીકારવું તે અત્યંત કઠિન છે. સંસારમાં બેપાંચ ટકા લોકો જ આવું ચારિત્ર અંગીકાર કરી શકે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે અહીં કહ્યું છે કે દીક્ષા એ ભવરૂપી વિષમ પર્વતનું ઉલ્લંધન કરવારૂપ મોટું પરાક્રમ છે. પરંતુ જેઓ એ પરાક્રમ કરી શકે છે તેઓ આધ્યાત્મિક વિકાસક્રમમાં સીધા છછું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનક સર્વવિરતિ રૂપ છે. સંયમ ધારણ કરીને મુનિ સર્વ આસવોની વિરતિ કરે છે. સંસારી જીવો વિષયકષાયમાં અનુરક્ત હોય છે. તેઓ પોદ્ગલિક સંપત્તિ અને વૈભવમાં રાચનારા હોય છે–પરંતુ મુનિ મહારાજ સંયમ અને જ્ઞાનધ્યાનરૂપી અધ્યાત્મ-સંપત્તિ ધરાવનાર છે. આવી સંપત્તિ મળ્યા પછી, લોકો જે કરે છે તે કરવા યોગ્ય છે, લોકો રાજી રહે તેમ કરવું, લોકોની પ્રશંસા કરીને રાજી થવું વગેરે પ્રકારની લોકસંજ્ઞારૂપી તુચ્છ સંપત્તિમાં કોણ રાચે ? મુનિ મહાત્માએ સદેવ લક્ષમાં રાખવું જોઈએ કે પોતે સર્વવિરતિધર સાધુ છે, પાંચ ગુણસ્થાનક વટાવી છઠ્ઠા સ્થાનકે પહોંચ્યા છે, નવકાર મંત્રમાં પાંચમું પદ પ્રાપ્ત કરી લીધું છે. હવે ગૃહસ્થ અણુવ્રતી શ્રાવક જેવું વર્તન પોતાને શોભે નહિ. પોતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીની આરાધના કરનાર છે, એટલે એવા સાધકોની સોબત જ પસંદ કરવાયોગ્ય છે. જિજ્ઞાસાભાવથી પણ ગૃહસ્થની સાથે સાંસારિક વાતોમાં ન પડવું જોઈએ.પોતે હવે રાગદ્વેષ ઓછા કરતા જવાનું છે, માટે રાગદ્વેષ વધારે એવી પ્રવૃત્તિમાં ન રાચવું જોઈએ. પોતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy