________________
૩૦૨
જ્ઞાનસાર
૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક [૧૭૭] પ્રાપ્ત: ઉષ્ઠ ગુણસ્થાને વિદુનિયનમ્ ા
लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थितिः ।।२३।।१।। [શબ્દાર્થ: પ્રાપ્ત:=પ્રાપ્ત થયેલા; ષષ્ઠEછઠ્ઠી; ગુણસ્થાનં=ગુણસ્થાનકે (છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે); મવદ્રિ=ભવરૂપી વિષમ પર્વત; તદ્દન—ઉલ્લંઘન કરનાર; ઓળંગી જનાર; નોસંજ્ઞારત=લોકસંજ્ઞામાં પ્રીતિવાળા; ને વા=ન હોય; મુનિ:=મુનિ, સાધુ; તો સ્થિતિ:=લોકોત્તર માર્ગમાં જેમની સ્થિતિ છે એવા]
અનુવાદ: સંસારરૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવારૂપી છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલા, જેમની લોકોત્તર માર્ગમાં સ્થિતિ છે એવા મુનિ લોકસંજ્ઞામાં પ્રીતિવાળા ન હોય. (૧)
વિશેષાર્થ: આપણે “લોક એટલે લોકો અથવા સંસાર એવો સાદો અર્થ કરીએ છીએ.
આવશ્યક નિર્યુક્તિ' વગેરેમાં સ્કૂલ અને સૂક્ષ્મ એવા આઠ પ્રકારના લોક બતાવ્યા છે, જેમ કે (૧) લોક” શબ્દ અર્થાત્ નામ બોલવાથી જે લોક સમજાય તે નામલોક, (૨) અક્ષરની રચનારૂપ લોકનાલિકાના યંત્રની સ્થાપના તે સ્થાપના-લોક, (૩) રૂપી અને અરૂપી એવા જીવ અને અજીવરૂપી દ્રવ્ય લોક (૪) ઊર્ધ્વ, અધો અને તિર્યંગ લોકમાં આકાશના પ્રદેશો તે ક્ષેત્રલોક (૫) સમય, આવલિકા ઇત્યાદિ કાળના પરિમાણરૂપ તે કાળલોક, (૬) દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એ ચાર ગતિરૂપ તે ભવલોક, (૭) ઔદયિક, લાયોપથમિક વગેરે ભાવ પરિણામરૂપ ભાવલોક અને (૮) દ્રવ્યાદિનું ગુણ વગેરે રૂપે પરિણમન તે પર્યાવલોક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org