________________
૧. પૂર્ણાષ્ટક
ન
રીતે દર્શાવાયો છે. કોઈ રાજા હોય, એનું મોટું રાજ્ય હોય, પ્રજા સુખી હોય, રાજાનો ભંડાર ભર્યોભર્યો હોય, રાજાને રાણી અથવા રાણીઓ, દાસદાસીઓ હોય, ભાવતાં ભોજનના થાળ સમયે સમયે માગતાંની સાથે હાજર હોય, મનોરંજનનાં વિવિધ સાધનો હોય, સવારી નીકળે ત્યારે આખું નગર જોવા ઉમટતું હોય, કિંમતી વસ્ત્રોની કોઈ ખોટ હોય નહિ, તે બનાવવા માટે, પહેરાવવા માટે, ધોવરાવવા માટે ખાસ માણસો હોય. આમ કોઈ વાતે કશી ખામી ન હોય તો પણ એ રાજાને લાગશે કે પોતાની પાસે ઓછું છે. બીજા રાજાના જેટલો રાજ્યવિસ્તાર નથી, એટલી સેના નથી, એવા હોંશિયાર મંત્રીઓ નથી, એટલાં દાસદાસી નથી, પંડિતો, ભાટચારણો પેલાનાં જેટલાં ગુણગાન ગાય છે એટલાં પોતાનાં કોઈ ગાતું નથી. ભૌતિક સમૃદ્ધિમાં બીજાની સાથે સરખામણી કરો એટલે કશુંક ઓછું લાગવાનું જ. પછી તો જે છે એનું સુખ નથી, પણ જે નથી એનું દુઃખ છે એમ જ લાગવાનું. એટલે જ તેઓ એક પ્રકારની વ્યાકુળતા અનુભવે છે. પરદ્રવ્યમાં સ્વત્વનું-પોતાપણાનું આરોપણ કરો એટલે ઉપાધિ ચાલુ થવાની. ‘હું' અને ‘મારું' એ બે શબ્દો આર્ત્તધ્યાનનાં મોટાં નિમિત્ત બની શકે છે. પરંતુ ‘હું’ અને ‘મારું’ થી જો પોતાની જાતને છૂટી પાડી દેવામાં આવે તો બંને વચ્ચે મોટું અંત૨ દેખાવાનું. હું એટલે મારો આત્મા અને મારું એટલે મારો પરિગ્રહ વગેરે. એ પ્રમાણે જો અર્થ ઘટાવવામાં આવે તો ‘હું’માં એક ફક્ત પોતાનો આત્મા છે અને ‘મારું’ માં અનેક ચીજવસ્તુઓ, સંબંધો વગેરે આવશે, કે જેની કોઈ મર્યાદા નથી. મર્યાદા નથી માટે જે છે તે ઓછું જ લાગવાનું. ભૌતિક વાસનાઓ, ઇચ્છાઓનો કોઈ અંત નથી.
જ્ઞાની મહાત્માઓ પાસે કશું નથી, છતાં એમને કશું જોઈતું નથી. કોઈએ કશું આપ્યું હોય તો તેમાંથી છૂટવા તેઓ યત્નશીલ રહે છે. ૫૨૫દાર્થોમાં તેઓ સ્વત્વની બુદ્ધિ કરતા નથી. તેઓ સ્વત્વથી-આત્મગુણોથી સભર છે. કોઈ વાતે તેમને ન્યૂનતા નથી. તેઓ એ અપેક્ષાએ ઇન્દ્ર કરતાં પણ ચડિયાતું સુખ અનુભવે છે. એ
Jain Education International
૧૫
For Personal & Private Use Only
www.jainelibrary.org