________________
વિજ્ઞાનસાર
સાચું સુખ છે. એ કેટલું લોકોત્તર છે, કેવું અનન્ય છે તે તો અનુભવે જ સમજાય એવું છે.
રાજાઓને પોતાની રાજ્યસમૃદ્ધિ અપાર હોવા છતાં તૃષ્ણા, મહેચ્છા, વાસના ઇત્યાદિને કારણે અથવા ઠેષ, મત્સર આદિને કારણે તે સમૃદ્ધિ ઓછી લાગે છે. તદુપરાંત જ્યારે પૂર્વબદ્ધ પુણ્યકર્મના ઉદયે મળેલી રાજ્યસમૃદ્ધિ પુણ્ય પરવારી જતાં તથા અશાતાવેદનીય કર્મના ઉદયને કારણે, વૃદ્ધાવસ્થા અને શારીરિક લાચારી તથા પરાધીનતાને કારણે તે ભોગવવા મળતી નથી, ત્યારે તેનો જીવ બળે છે. તે દુઃખી દુઃખી થઈ જાય છે અને ભૂતકાળના સુખના દિવસોનાં સંસ્મરણો વાગોળીને ચિત્તની અસમાધિમાં મૃત્યુ પામે છે.
જ્ઞાની મહાત્માઓનું સુખ પદ્રવ્ય પર નિર્ભર નથી હોતું. પરદ્રવ્યો ઇન્દ્રિયોની નજીક જ હોવા છતાં અથવા આત્માની અડોઅડ હોવા છતાં તેઓ એ પ્રત્યે ઉદાસીન હોય છે. એમનો સુખાનંદનો અનુભવ તો અંદરથી પ્રગટ થાય છે. પરંતુ એમના ફક્ત દેહરૂપી પરિગ્રહમાં પણ જ્યારે અશાતાવેદનીય કર્મનો ઉદય હોય છે ત્યારે પણ તેઓ એને સાક્ષી ભાવે નિહાળે છે અને નિજાનંદમાં મસ્ત રહે છે. ક્યારેક સંથારો કરી સ્વેચ્છાએ મહોત્સવપૂર્વક ઉલ્લાસથી દેહનું વિસર્જન કરે છે.
જેઓ ભૌતિક, પૌગલિક ઇન્ટિયાર્થ સુખોમાં રાચે છે, તેમાં ભોગવવાના પદાર્થો પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ હોવાથી પોતાના આત્માને પણ અનુકૂળ છે એવા ભ્રમમાં રહે છે. એ માત્ર સાંયોગિક સુખાભાસ છે. વળી સંસારમાં ભોગવવાના પદાર્થો અનંત છે, એટલે એવા પૌદ્ગલિક સુખમાં પણ ઘણી તરતમતા રહેવાની. બીજી બાજુ દરેકને આત્મા એક જ હોય છે અને બધાંના આત્મા પણ સ્વરૂપે એકસરખા છે. એટલે આત્મસંવેદનનો પ્રકાર પણ એક સરખો જ રહેવાનો. આવા સ્વરૂપસંવેદનનો અંશ માત્ર પણ અમૃત સમાન લાગે છે; બીજી બાજુ પાંચે ઇન્દ્રિયોથી ભોગવાતા અસંખ્ય પદાર્થોનું સુખ પરિણામે ભયંકર દુઃખ સમાન નીવડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org