________________
૧. પૂર્ણાષ્ટક
[2] જે પક્ષે પક્ષીઓને શુક્લે ચ સમુદ્રગ્ધતિ .
द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधो: कलाः ।। १ ।। ८ ।। [શબ્દાર્થ ને પક્ષે પરિક્ષી=જ્યારે કૃષ્ણ પક્ષનો ક્ષય થાય છે ત્યારે; શુક્લે શુકલ પક્ષનો; =અને સમુદ્રષ્યતિ=બરાબર ઉદય થાય છે ત્યારે, ઘોર=પ્રકાશે છે; સત્તાધ્યક્ષા:=સર્વને પ્રત્યક્ષ; પૂર્ણાનવિયો:=પૂર્ણાનંદરૂપી ચન્દ્રની, આત્મસ્વરૂપ ચન્દ્રની; ની:=અંશ (ચંદ્રના અર્થમાં), ચેતન્ય પર્યાય (આત્માના અર્થમાં.]
અનુવાદ-કૃષ્ણ પક્ષનો ક્ષય થાય છે અને શુકલ પક્ષનો ઉદય થાય છે ત્યારે સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનન્દરૂપી ચન્દ્રની કળા પ્રકાશમાન થાય છે. (૮) વિશેષાર્થ સમગ્ર સંસાર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોથી ભરેલો છે. આપણી નજર સમક્ષ કેટલાંયે જીવોનું મૃત્યુ થતું જોઈએ છીએ અને તેવી જ રીતે કેટલાંયે નવા જીવોને જન્મતા જોઈએ છીએ. જન્મમરણનું ચક્ર સદેવ, સતત ચાલતું રહે છે.
શું બધા જ જીવોને આ રીતે અનંત કાળ સદેવ જન્મમરણના ચક્રમાં રખડ્યા કરવાનું છે ? એમાંથી કોઇનો છૂટકારો થવાનો નથી ? આવો પ્રશ્ન ઘણાંને થવાનો સંભવ છે. તીર્થકર ભગવાને કહ્યું છે કે જીવો પોતાના પુરુષાર્થથી જન્મમરણનું ચક્ર છેદીને પૂર્ણ સ્વરૂપ પામી શકે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે કે જ્યાંથી એમને પાછું સંસારમાં રખડવાનું હોતું નથી. નિગોદમાંથી નીકળીને જીવ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધીના કાળનું વિભાજન અંધકાર અને પ્રકાશ એમ બે વિભાગમાં શાસ્ત્રકારોએ કર્યું છે. રાત્રે પ્રકાશતા ચંદ્રમાના કારણે કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ એમ બે ભાગ જોવા મળે છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે ઘટતી જાય છે, ક્ષીણ થતી જાય છે અને અમાવસ્યાની રાત્રિએ તો નિબિડ અંધકાર ચોતરફ વ્યાપી જાય છે. શુકલ પક્ષમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org