________________
૧૮
રિસાનસાર
બીજની ચંદ્રકલા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય છે અને પૂર્ણિમાને દિવસે તો ચંદ્ર સોળે કળાએ પરિપૂર્ણ પ્રકાશે છે. આ વાત સંસારના તમામ જીવોને જો લાગુ પાડીએ તો જે જીવોમાં સમ્યગદર્શનરૂપી બીજની કલા પ્રગટ થાય છે તેઓ તે કલાને પૂર્ણતાએ પહોંચાડી શકે છે. આવા જીવોને શુકલ પક્ષવાળા અથવા શુકલ પાક્ષિક કહી શકાય. જે જીવોમાં તીવ્ર પાપ કરવાની હવે રુચિ કે વૃત્તિ થતી નથી અને ધર્મ વિશે સાંભળવાની રુચિ પ્રગટ થાય છે, પરંતુ હજુ જેમનામાં સમ્યગદર્શન પ્રગટ થયું નથી એવા જીવો કૃષ્ણ પક્ષવાળા અથવા કૃષ્ણપાક્ષિક કહેવાય છે.
પરંતુ સંસારના પરિભ્રમણમાં કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષનો વિચાર યુગલ પરાવર્તની દૃષ્ટિએ કરવામાં આવ્યો છે. જે જીવોનો અર્ધ પુગલ પરાવર્તથી કંઈક ન્યૂન કાળ બાકી હોય તે જીવો શુકલ પાક્ષિક કહેવાય છે અને જે જીવોનો અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક કાળ બાકી હોય તે જીવો કૃષ્ણપાક્ષિક કહેવાય છે.
શ્રી દેવચંદ્રજી મહારાજે આ “જ્ઞાનસાર' ગ્રંથ ઉપરની પોતાની “જ્ઞાનમંજરી” નામની ટીકા લખી છે તેમાં દશાશ્રુતસ્કંધની નીચેની ગાથાઓ આ સંદર્ભમાં ટાંકી છે;
जेसिमवठ्ठो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो।
ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ ।। જિઓને અર્ધ (કંઈક ન્યૂન) પુદ્ગલ પરાવર્ત કાળ જેટલો સંસાર બાકી છે તે શુકલપાક્ષિક છે અને બીજા (તેથી વધુ કાળ સંસારમાં રહેનાર) તે કૃષ્ણ પાક્ષિક
છે.].
जो जो किरियावाई सो भव्वो णियमा सुक्कपक्खिओ।
अंतो पुग्गलपरिअट्टस्सु सिज्झइ ।। [જ જે ક્રિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે અને નિયમા (નિયમ તરીકે અવશ્ય) શુકલપાક્ષિક છે. તે એક પુદ્ગલ પરાવર્તની અંદર સિદ્ધ થાય છે.] પુગલ પરાવર્ત એ પારિભાષિક ગહન વિષય છે. અહીં તદ્દન સંક્ષેપમાં એનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org