________________
૧. પૂર્ણાષ્ટક
માત્ર પરિચય આપ્યો છે. જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, વિશ્વનાં તમામ પુદ્ગલ પરમાણુઓને ક્રમથી અને વ્યુત્ક્રમથી સ્પર્શી લે ત્યારે એક પુદ્ગલ પરાવર્ત જેટલો કાળ થયો ગણાય. એવા અનંત પુગલ પરાવર્ત કરતો કરતો જીવ જ્યારે છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં, અર્થાત્ ચરમાવર્તમાં આવે છે ત્યારે અને ત્યાર પછી અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલો એનો કાળ બાકી રહે છે ત્યારે મોક્ષગતિ માટેનો એનો કાળ નિશ્ચિત થઈ જાય છે. એમાં કોઈકને ઓછા ભવ બાકી હોય અને કોઇકને હજુ કદાચ અસંખ્ય કે અનંત ભવ કરવાના બાકી હોય, તો પણ ભવભ્રમણનો એનો કાળ મર્યાદિત થઈ જાય છે.
જીવને સમ્યગુદર્શન થયું છે એની પ્રતીતિ કેવી રીતે થાય એવો પ્રશ્ન કેટલાકને થાય છે. સમ્યગુદૃષ્ટિ જીવનાં કોઇ બાહ્ય પ્રગટ ઓળખચિન નથી હોતાં, પણ શાસ્ત્રકારો બતાવે છે કે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ સમ્યગુદૃષ્ટિ જીવનાં પાંચે લક્ષણો છે. એના આધારે એવા જીવને ઓળખી શકાય. અલબત્ત, જીવના અંતરમાં પરિણતિ કેવી છે એ જાણવાનું કઠિન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org