________________
૨૦
જ્ઞાનસાર
૨. મનાષ્ટક [૯] પ્રત્યવ્રુદ્રિયભૂર્વ સમાય મનો વિનમ્
સઘશ્વિનાત્રવાતિ મન રૂલ્યમથીયતે | ૨ ૨ | [શબ્દાર્થ પ્રત્યાહત્વ=પ્રત્યાહાર કરીને, વિષયોથી નિવૃત્ત કરીને; ન્દ્રિયભૂદં=ઇન્દ્રિયોના સમૂહને; સમાધાય=(આત્મદ્રવ્યમાં) સારી રીતે એકાગ્ર કરીને; મનોનિગમ પોતાના મનને; =ધારણ કરતો; વિન્માત્ર=ચૈતન્યસ્વરૂપ આત્મામાં વિશ્રાવિંત=સ્થિરતાને; માન=મગ્ન થયેલો, લીન બનેલો; તિ=એમ; મિથી તે=કહેવાય છે.]
અનુવાદ-ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને, પોતાના મનને (આત્મદ્રવ્યમાં) સારી રીતે એકાગ્ર કરીને, ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા ધારણ કરતો આત્મા મગ્ન કહેવાય છે. (૧)
વિશેષાર્થ: મગ્નાષ્ટક શરૂ કરતાં પહેલાં ગ્રંથકારશ્રી મગ્નતાની વ્યાખ્યા આપે છે. જેમાં ઇન્દ્રિયોના સમૂહનો પ્રત્યાહાર છે એટલે કે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે, પોતાના મનને સમતામાં સ્થિર કરાય છે અને માત્ર ચૈતન્યમાં વિશ્રાન્તિ ધારણ કરાય છે તે મગ્નતા છે.
આત્મસ્વરૂપમાં મગ્નતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. મગ્નતા પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લેવાની–પ્રત્યાહારની જરૂર છે. પ્રત્યાહારની વ્યાખ્યા આપવામાં આવી છે: પ્રત્યાદીક્વિન્દ્રિયાગ વિષમ્યોસમાત: વિષયોમાંથી ઇન્દ્રિયોને સારી રીતે નિવૃત્ત કિરવી તે પ્રત્યાહાર છે. અષ્ટાંગ યોગમાં પાંચમું અંગ તે પ્રત્યાહાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org