________________
થાય છે તેમ તેમ તે નવો પ્રકાશ પાથરે છે અને તેમની બહુમુખી વિદ્વત્પ્રતિભા પ્રત્યે વિસ્મયનો ભાવ જગાડે છે. સુજસવેલી ભાસ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે કેટલાંક વર્ષ પહેલાં ઘણી વધુ માહિતી મળી આવી હતી. લગભગ વિ. સં. ૧૯૫૭ની આસપાસ પાટણમાં પ. પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તપ્રતોનું સંશોધન-વર્ગીકરણ કરતાં કરતાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન વિશે એમના સમકાલીન કવિ મુનિશ્રી કાંતિવિજયજીએ રચેલી ‘સુજસવેલી ભાસ' નામની એક કાવ્યકૃતિની ભાળ લાગી હતી. એમાં આપેલી માહિતીથી શ્રી યશોવિજયજીના જીવનચરિત્ર ઉપર, તથા એમના જન્મ અને કાળધર્મના સમય ઉપર કંઈક વધુ પ્રકાશ પડ્યો છે. જન્મસમય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણોમાં હજુ છેવટનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેરુ પર્વતનો ચિત્રપટ, અને (૨) શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિશ્રી કાંતિવિજયજીકૃત “સુજસવેલી ભાસ' નામની રચના. આ બંનેમાં અલબત્ત, એમના જન્મસમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મસમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે. | વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્યિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના “કણસાગર' નામના ગામમાં રહીને સં. ૧૬૬૩માં પોતાના શિષ્ય શ્રી જસવિજયજી (યશોવિજયજી) માટે આ પટ આલેખ્યો છે. પુષ્પિકાના લખાણ પ્રમાણે શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી નવિજયજી તે સમયે ગણિ
18
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org