________________
૪ ૨૦
જ્ઞાનસાર
[૨૮] મૂનોત્તરગુપ -પ્રાજ્યસમ્રાચીસ
बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः ।।३१।।८।। [શબ્દાર્થ: મૂત્તોત્તર કુળ=મૂળ ગુણ અને ઉત્તર ગુણ; બિ=શ્રેણિ; પ્રાન્ચ=વિશાળ; સામ્રાજ્ય સામ્રાજ્ય; સિદ્ધ સિદ્ધિ માટે; વીર્ઘબાહ્ય; માખ્યન્તરં=આત્યંતર, અંતરંગ; =અને; € એ પ્રમાણે; ત૫:=તપ; =કરે; મહામુનિ =મહામુનિ, મોટા મુનિ.]
અનુવાદ: મહામુનિ મૂળ ગુણ અને ઉત્તર ગુણની શ્રેણીરૂપ વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે, આ પ્રમાણે, બાહ્ય અને આત્યંતર તપ કરે. (૮)
વિશેષાર્થ : કોઈ વ્યક્તિ ગૃહત્યાગ કરીને, પંચ મહાવ્રત અંગીકાર કરીને સર્વવિરતિધર સાધુ બને છે ત્યારે સાધુજીવનનું એમનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ રહે છે. એ માટે મુનિજીવનના મૂળગુણ અને ઉત્તર ગુણને વધુ ખીલવવાના હોય છે. આ મૂળ ગુણ અને ઉત્તર ગુણની સિદ્ધિ માટે મુનિઓએ બાહ્ય તપ અને અત્યંતર તપ કરવું જરૂરી છે.
મુનિઓના મૂળગુણ અને ઉત્તરગુણ માટે અહીં સામ્રાજ્યનું રૂપક આપવામાં આવ્યું છે. રાજકીય સમ્રાટોના સામ્રાજ્ય કરતાં મુનિઓનું મૂલોત્તર ગુણરૂપી સામ્રાજ્ય વધુ મોટું છે અને ઉત્કૃષ્ટ છે. પેલા રાજકીય સામ્રાજ્યોમાં ચડતી પડતી આવે છે. મુનિઓનું સામ્રાજ્ય નિર્ભય હોય છે.
મૂળ ગુણ એટલે પાયાની મુખ્ય વાત અને ઉત્તર ગુણ એટલે મૂળ ગુણના પોષણ-સંવર્ધન માટેની ગૌણ વાત.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત દશ પ્રકારનો યતિધર્મ, નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ, બાર પ્રકારનું તપ એમ કુલ સિત્તેર પ્રકારે મૂલગુણ છે. આ વ્રતોનું સારી રીતે પાલન થાય એ માટે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા બાર ભાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org