________________
જ્ઞાનસાર
ધ્યાન માટે નજર સામે કોઈ આકૃતિ હોય, ૩ૐકાર, હોંકાર જેવા મંત્રાક્ષરો હોય અથવા રોજ જેમના દર્શન-પૂજા કરતાં હોઈએ એવા જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય અથવા કોઈ તીર્થસ્થળની પ્રતિમા હોય અથવા સમવસરણમાં બિરાજમાન દેશના આપતા તીર્થંકર પરમાત્મા હોય. આવાં પવિત્ર આલંબનથી હૃદયમાં ઉલ્લાસ પ્રગટે છે, ભગવાન જેવા બનવાના ભાવો જાગે છે. પરમાત્માના આલંબનથી ધ્યાનમાં સ્થિરતા આવે છે.
અરૂપી આલંબનમાં સિદ્ધ પરમાત્માના ગુણો સાથે તાદાભ્ય અનુભવાય છે. આ ઉત્કૃષ્ટ યોગ છે. અરૂપી આલંબનને નિરાલંબન યોગ કહી શકાય. આ નિરાલંબન યોગને ધારાવાહી પ્રશાન્તવાહિતા કહેવામાં આવે છે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે યોગનિરોધરૂપ સર્વોત્તમ યોગનો પૂર્વભાવી આ અનાલંબન યોગ છે. [૨૧૫] પ્રતિમવિક્તવવોડૌ: Wાની થતુર્વિઘ
__ तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद्भवेत् ।।२७।।७।। [શબ્દાર્થ પ્રતિમવિક્તવવો.=પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન વડે; સ્થાનાપ–સ્થાનાદિ યોગ પણ; ચતુર્વિધર્મ=ચાર પ્રકારના છે; તસ્મત્રએટલે, તેથી; મોયોપ્લેકઅયોગ-યોગના નિરોધરૂપ યોગની પ્રાપ્તિ થવાથી; મોક્ષયો:=મોક્ષરૂપી યોગ; મા=ક્રમથી, અનુક્રમે; ભવે =થાય છે, પ્રાપ્ત થાય છે.]
અનુવાદઃ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે સ્થાનાદિ યોગ પણ ચાર પ્રકારે છે. તેથી યોગથી અયોગ (શેલેશી યોગ)ની પ્રાપ્તિ થતાં અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. (૭)
વિશેષાર્થ યોગાષ્ટક'ના આઠ શ્લોકનું વક્તવ્ય પૂ. શ્રી યશોવિજયજી મહારાજે પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના “યોગવિંશિકા” અને “ષોડશક' ગ્રંથના આધારે આપ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org