SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ જ્ઞાનસાર વિશેષ આનંદ આવે છે. (૭) યોગી-ધ્યાની મહાત્મા સમ્યગ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યકુચારિત્ર એ રત્નત્રયીની પરિણતિરૂપ યોગવાળા હોય છે. તેઓ પ્રવૃત્તચક્ર યોગી હોય છે. યોગી ચાર પ્રકારના કહ્યા છેઃ (૧) ગોત્રયોગી-યોગીના કુળમાં માત્ર જન્મેલા, (૨) કુળયોગી-યોગીના કુળમાં જન્મેલા, કુળની મર્યાદા સાચવનાર અને યોગ સાધના માટે યોગ્યતા ધરાવનાર, (૩) પ્રવૃત્તચક્યોગી-યોગસાધનામાં પ્રવૃત્ત થયા હોય તે અને (૪) નિષ્પન્નયોગી–જેમણે યોગસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય છે. આ ચારમાંથી ધ્યાની મહાત્મા પ્રવૃત્તચક્ર યોગી હોય છે. (૮) બાહ્ય મનોવૃત્તિ રોકનાર-મન અને ઇન્દ્રિયોને તેઓ નિવૃત્ત કરી દે છે. પોતાના ધ્યાનમાં ધારણાના સાતત્યથી મનને ઇન્દ્રિયોમાં જતું તેઓ અટકાવી દે (૯) પ્રસન્ન-તેમના જીવનમાંથી સ્પૃહા, ઇચ્છા ચાલી જાય, કશુંક મેળવવા માટેની દોડધામ કે ચિંતા નીકળી જાય, કલુષિત વૃત્તિઓ રહે નહિ ત્યારે અંતરનો જે આનંદ અનુભવાય તે પ્રસન્નતા કહેવાય. માણસના ચહેરા પરથી જ ખબર પડે કે તે પ્રસન્ન છે કે અપ્રસન્ન. ધ્યાની મહાત્મા નિરંતર પ્રસન્ન જ હોય છે. (૧૦) અપ્રમત્ત-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધનાં કારણો છે. સાધુઓએ છઠ્ઠાથી સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે ચડવાનું છે. પ્રમાદ એટલે આળસ, મંદતા, શિથિલતા; અપ્રમાદ એટલે ઉત્સાહ, સ્કૃર્તિ, ચેતન, સક્રિયતા. પ્રમાદ છ પ્રકારનો છે, જેમ કે મદ્યપાન, નિદ્રા, વિષય, કષાય, ધૃત અને પ્રતિલેખના. પ્રમાદ આઠ પ્રકારનો પણ ગણાવાય છે જેમકે અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, રાગદ્વેષ ઇત્યાદિ. ધ્યાનીએ અપ્રમત્ત રહેવાનું હોય. (૧૧) અમૃતના આનંદને અનુભવનાર-ધ્યાની મહાત્માઓ જ્ઞાનાનંદરૂપી અમૃતનો આસ્વાદ લેનાર હોય છે. એક વખત સ્વરૂપમાં રમણતાનો જે આનંદ અનુભવાય છે તે પછી સાંસારિક વિષયોનો આનંદ તેઓને ફિક્કો લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy