________________
૧૩. મોનાષ્ટક
યિા:=ક્રિયા, દીપશિખા આડીઅવળી થવારૂપ ક્રિયા, સર્વાંqિ=બધી ય; ચિન્મયી=જ્ઞાનમય; યસ્ય=જેની, જે આત્માની; અનન્યસ્વભાવસ્થ=અનન્ય સ્વસ્વભાવરૂપ; તત્ત્વ=તેનું; મૌનં=મોન, મુનિપણું; અનુત્તરમ્=ઉત્કૃષ્ટ.]
અનુવાદ–જેમ દીવાની બધી ય ક્રિયા પ્રકાશમય છે તેમ જે અનન્ય સ્વસ્વભાવે પરિણમેલા છે તેની (આત્માની) સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન (મુનિપણું) ઉત્કૃષ્ટ છે. (૮)
૧૯૩
વિશેષાર્થ : મૌન-અષ્ટકનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર શ્રી સર્વોત્કૃષ્ટ મોન કેવું હોય તે આપણને સમજાવે છે. તે માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે દીપકનું. દીપક પ્રકાશ આપે છે. દીપકની જ્યોતિ ઘડીકમાં સીધી, તો ઘડીકમાં તિરછી હોય છે, ક્યારેક પવનને લીધે તે નીચી વળે છે અને પાછી સીધી થઈ જાય છે. આમ છતાં પ્રકાશ આપવાનું પોતાનું કાર્ય દીપક બરાબર કરતો રહે છે. દીપકની સઘળી ક્રિયા જ્યોતિર્મય હોય છે. એવી રીતે જ્ઞાનદ્દષ્ટિવાળા મુનિઓની સર્વ ક્રિયા સ્વભાવરમણતામાં પરિણમે છે. દરેક દ્રવ્ય સ્વસ્વભાવમાં પરિણમે છે, અન્ય સ્વભાવમાં નહિ. એટલે કે અનન્ય સ્વભાવે પરિણમે છે. મુનિઓ પુદ્ગલાદિથી અન્ય સ્વભાવમાં પરિણમેલા નથી. તેઓ અનન્ય સ્વસ્વભાવવાળા છે. એમની આહાર, વિહાર, વંદન, પડિલેહણ, સ્વાધ્યાય ઇત્યાદિ સર્વ ક્રિયાઓ શ્રુતજ્ઞાનના ઉપયોગપૂર્વકની અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર હોય છે. તેઓના મન, વચન અને કાયાના યોગો પુદ્ગલાદિથી વિરામ પામેલા હોય છે. એટલે કે તે પ્રત્યે એમને કોઈ આસક્તિ કે દુર્ભાવ હોતાં નથી. તેઓની જ્ઞાનદ્દષ્ટિ ચિન્મયી, જ્યોતિર્મય હોય છે. આ રીતે મુનિઓનું મૌન તે મન, વચન અને કાયાના યોગોનો નિગ્રહ કરવારૂપ એટલે કે યોગોની ચંચળતાને રોકવારૂપ હોય છે. દીપકની જેમ તેમની સર્વ ક્રિયાઓ, સાનુકૂળ કે વિપરીત સંયોગો હોય તો પણ આત્માના લક્ષે જ હોય છે. આથી આ પ્રકારનું મોન સર્વોત્કૃષ્ટ પ્રકારનું ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org