________________
૧૯૨
મનના હોય છે, વચનના હોય છે અને કાયાના હોય છે. યોગો અસંખ્યાતા છે. યોગોની સદંત૨ સર્વથા અપ્રવૃત્તિરૂપ એટલે કે યોગનિરોધરૂપ મૌન તો ચોદમા ગુણસ્થાનકે હોય છે. સિદ્ધ પરમાત્માને તો મન, વચન અને કાયાના યોગો જ હોતા નથી. એટલે એ પ્રકારનું મૌન તો આદર્શરૂપ છે. અહીં મૌન કહ્યું છે તે તેવા યોગોનો નિગ્રહ કરવારૂપ છે અથવા બીજી રીતે કહીએ તો યોગોને સવળી દિશામાં વાળવારૂપ છે. અથવા પુદ્ગલના ભાવોને પોતાના માટે માત્ર જ્ઞાનનો વિષય બનાવવારૂપ છે. જ્યાં સુધી શરીરમાં ચેતન છે ત્યાં સુધી પુદ્ગલો સાથે સંસર્ગ રહેવાનો. ત્યાં સુધી એકંદરે ઇન્દ્રિયો અને મન સક્રિય હોય છે. પૂર્વના પુણ્યોદયથી મનુષ્યને પાંચ ઇન્દ્રિય અને મન મળે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જીવ લુબ્ધ બની જાય છે. અનાદિ કાળથી જીવો એમ ક૨તા આવ્યા છે. ઇન્દ્રિયોના બાહ્ય ભોગવટાને અનુકૂળ અને પ્રતિકૂળ એવા ભેદરૂપે તેઓ જુદા પાડે છે અને અનુકૂળને સુખરૂપે તથા પ્રતિકૂળને દુઃખરૂપે અનુભવે છે.
તત્ત્વદ્યષ્ટિથી જોઈએ તો ઇન્દ્રિયો પુદ્ગલનું સુખ અનુભવવા માટે નથી, પણ સંયમ અને વીતરાગભાવ કેળવવા માટે છે. મનનો ઉપયોગ ક્રોધાદિ કષાયો માટે, હિંસાદિ દુર્વિચારો માટે, પાપના વિચારો માટે કરવાનો નથી, પરંતુ શુભ ભાવો માટે કરવાનો છે. વાણી અને કાયાનો ઉપયોગ પણ એ પ્રમાણે જ કરવો જોઈએ. મન, વાણી અને શરીરની વૃત્તિ, પ્રવૃત્તિ ઇત્યાદિને સાચી આધ્યાત્મિક દિશામાં વાળવી એને અમુક અપેક્ષાએ મૌન કહેવામાં આવે છે. પરંતુ આત્માને પુદ્ગલના ભાવોમાંથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરવો તથા શુભાશુભ વૃત્તિપ્રવૃત્તિઓમાં આત્માને ન જોડતાં જ્ઞાતાદ્દષ્ટા ભાવે રહેવું એ મૌન સર્વશ્રેષ્ઠ છે. [૧૦૪]ખ્યોતિર્મયીવ રીપસ્ય ક્રિયા સર્વાપિ ચિન્મયી ।
यस्यानन्यस्वभावस्य तस्य मौनमनुत्तरम् ।। १३ ।। ८ ।। [શબ્દાર્થઃ જ્યોતિર્મયી=જ્યોતિર્મય, પ્રકાશમય, વ=જેમ; ીપસ્ય=દીવાની;
Jain Education International
જ્ઞાનસાર
For Personal & Private Use Only
www.jainelibrary.org