SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. મીનાષ્ટક ૧૯૧ [૧૦૩] સુત્તમં વાનુડ્યારે મૌનમેલેજિયેષ્ઠપ पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। १३ ।। ७ ।। [શબ્દાર્થ: સુમં=સુલભ, સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું; વાનુબ્બારં–વાણીના નહિ ઉચ્ચારવારૂપ; મોન=મોન; વેન્દ્રિયેષુ =એ કેન્દ્રિયો માં; સમપકપણ; પુત્તેિપુ=પુદ્ગલોમાં, પ્રવૃત્તિ =અપ્રવૃત્તિ, પ્રવૃત્તિ ન થવી; તુ=પણ યોના=યોગોની, મન, વચન અને કાયાના યોગોની; મૌ=મૌન; ઉત્તમ—ઉત્તમ, શ્રેષ્ઠ.] અનુવાદવાણીના નહિ ઉચ્ચારવારૂપ મૌન તો એકેન્દ્રિય જીવોમાં પણ સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું છે, પરંતુ પુદ્ગલોમાં યોગોની (મન, વચન અને કાયાની) પ્રવૃત્તિ ન થવા રૂપ મૌન તે શ્રેષ્ઠ છે. (૭). વિશેષાર્થ : સામાન્ય વ્યવહારમાં ન બોલવું, એટલે કે શબ્દ ન ઉચ્ચારવો એને મૌન ગણાવવામાં આવે છે. આ વાણીનું મૌન છે અને સાધનામાં તે કેટલીક દૃષ્ટિએ ઉપયોગી છે. એવા મનમાં કેટલાક શબ્દોચ્ચાર નથી કરતા, પણ ઇશારાથી કે લખીને પોતાની વાત જણાવે છે. કેટલાક તો મનમાં કલાકો સુધી આ પ્રકારનો ઇશારાનો વ્યવહાર અન્યની સાથે કરે છે. કેટલાક મૌન ધારણ કરવા સાથે ઇશારા વગેરેનો ત્યાગ કરે છે અને અન્યની સામે જોવા સુદ્ધાંનો ત્યાગ કરે છે. આવા કડક પ્રકારના મૌનને આર્ય મૌન કે કાષ્ઠ મૌન કહેવામાં આવે છે. તે દરેકની વ્યાખ્યા જુદી જુદી હોય છે. કેવળ વાણીનું મૌન સંયમની સાધનામાં અમુક દૃષ્ટિએ ઉપયોગી હોવા છતાં મોક્ષમાર્ગમાં આગળ જતાં તેનું વધુ મૂલ્ય નથી. વાણીની અપ્રવૃત્તિરૂપ આવું મૌન તો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા એકેન્દ્રિય જીવોને પણ કુદરતી રીતે હોય છે, કારણ કે તેઓને વચનલબ્ધિ હોતી નથી. પરંતુ અહીં “મોન' શબ્દ વિશિષ્ટ સંદર્ભમાં સમજવાનો છે. યોગોની પુદ્ગલ ગ્રહણ કરવારૂપ પ્રવૃત્તિને રોકવી તેને અહીં મૌન કહેવામાં આવ્યું છે, યોગો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy