________________
४४८
જ્ઞાનસાર
એવો નીરસ નથી. ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ ઉપમા આપી છે. એમાં એમનું સૂક્ષ્મ અવલોકન રહ્યું છે. આવી સરસ ઉપમા બીજે ક્યાંય જોવામાં નહિ આવે.
ઉપાધ્યાયજી મહારાજે ગ્રંથની પૂર્ણાહુતિ અને બાલાવબોધની પૂર્ણાહુતિ પ્રસંગે આ ગ્રંથ દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાઓ અને તેઓ ઉપશાન્ત થાઓ એવી ભાવના વ્યક્ત કરી છે.
આ બાલાવબોધ ગુજરાતીમાં છે. એમના જમાનામાં ગુજરાતી પણ સંસ્કતથી જુદી હોવાને કારણે પ્રાકૃત જેવી જ ગણાતી. ઉપાધ્યાયજી મહારાજનું સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એ ત્રણે ભાષામાં ગ્રંથરચનામાં, કૃતિઓના સર્જનમાં એક સરખું પ્રભુત્વ જોવા મળે છે. આ બાલાવબોધથી ભાષાભેદને કારણે કોઈને અરતિ નહિ થાય એમ તેઓ માને છે. એમણે ભારતી' શબ્દ પ્રયોજીને એમાં શ્લેષ ર્યો
બાલાવબોધના અંતે એમણે લખ્યું છે કે પોતે સિદ્ધપુરના વતની શ્રાવક સૂરજીના પુત્ર શાન્તિદાસને સમજાવવા, એના ચિત્તને આનંદ પમાડવા આ બાલાવબોધ લખ્યો છે. ઉપાધ્યાયજી મહારાજે જવલ્લેજ પોતાના ગ્રંથોમાં કોઈ શ્રાવકનો ઉલ્લેખ કર્યો છે. એ રીતે આ ઉલ્લેખ ઐતિહાસિક મહત્ત્વનો બની રહે છે.
શ્રી જ્ઞાનસાર-અષ્ટક ગ્રંથ સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org