________________
કૃતજ્ઞતાયુક્ત ગણુ–સ્વીકાર
(પ્રકાશકીય નિવેદન) સ્વ. પૂજ્યપાદું શાસન-સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનાં જૈન સંઘ સમસ્ત પરનાં ઉપકારનું ઋણ અદેય છે. પૂજ્યપાશ્રીના સચ્ચારિત્રપૂન જીવન-કવન અંગે યત્કિંચિત્ પણ કહેવાનું અમારું સામર્થ્ય નથી. તેઓશ્રીની ઉપાદેયતાની ઉપકારકતા નિસીમ છે એ નિર્વિવાદ હકીકત છે. પૂજ્યશ્રીની ઉપકારકતા જૈન સમાજ સુધી જ સીમિત ન હતી પરંતુ પરમ તત્વના પ્રેમી-અનુરાગી એવા સમગ્ર માનવ સમાજને સ્પશતી હતી.
આ મહાપુરૂષે તેમની ચારિત્ર-યાત્રા દરમ્યાન અને કાનેક જીને, પરમ તારક શ્રી વીતરાગ પરમાત્મા પ્રરૂપિત સાધનામાર્ગ રૂપી શ્રમણ-જીવનના પંથે પ્રગતિમાન કર્યા હતાં. પ્રગતિના પંથે પળેલા આ સાધકોમાંથી અનેક શ્રમણ--પ્રવરે વર્તમાન કાળના જૈન સંઘમાં ધર્મો ઘાત કરી અનેક છે માટે પ્રેરણા અને શ્રદ્ધાના સ્ત્રોત બન્યાં છે.
સ્વ. પૂજ્યશ્રીના સમુદાયના અનેક આચાર્ય ભગવંતો તથા મુનિવરે શાસનની શોભારૂપ છે તેમ જ શ્રી સંઘના ઉદય અને ક્ષેમકુશળ માટે સાધનારત છે.
આવા પરમ પૂજનીય મહાપુરૂષના સ્વ-હસ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org